________________ ( 6 ) શ્રી અભય કુમા૨ મત્રીશ્વરનું જીવન ચરિત્ર, એ મુનિને સહાય કરવાને માટેજ હોયની એમ કઈ વ્યાધિ ઉત્પન્ન થશે. તો પણ એ વ્યાધિ ભેગવ્યા વિના અન્ય કોઈ પણ રીતે હઠે એવો નથી એમ સમજી એ પોતાનાં કાર્યો તો કર્યાજ કરશે. કેમકે શુરવીર સિનિક પ્રહાર પડે તો યે વીરવૃત્તિ મૂકતો નથી. વૈદ્યો પણ એ વ્યાધિનું કેઈ વારણ નથી એમ સમજી જઈ આનન્દિત મને એમને ઉપદેશ આપશે કે–હે મુનિ, ધર્મકરણી અર્થે શરીર તદુરસ્ત જોઈએ માટે તમે દધિ-દહીંનું સેવન કરે. એમ કરવાથી તમારે વ્યાધિ જશે અને પુન: તમારી પાસે આવશેજ નહીં. દેહ છે તો ધર્મ થશે. પાપહર્તા મુનિ પણ વિદ્યરાજેએ બતાવેલું એ ઔષધ પ્રાસુક અને સુલભ જાણીને ગૃહસ્થોના વાડા વિષેજ હોયની એમ ગોકુળને વિષે વિહાર કરશે. વિકૃતિનું સેવન , કરનારા છતાં વિકૃતિના પરિવર્જક મુક્ત ધર્મચક છતાં ધર્મચક ફેરવશે. . * એકદી, હે અભય, મમત્વના ત્યાગી એ ઉદાયન મુનિ વિચરતાં વિચરતાં એજ વિતભયનગરમાં આવશે. એમને આવ્યા જાણું, કેશીના, જાણે કંઠપાશ હાયની એવા, દુષ્ટ મંત્રીઓ કેશીને એમ સમજાવશે કે વ્રત પરીણામ ભગ્ન થવાથી ઉદાયન મુનિ પતે હવે તારું રાજ્ય લેવા આવ્યા છે. સ્વર્ગના રાજ્ય જેવું આ રાજ્ય એ . મણે ઉત્તમ વાસના ઉત્પન્ન થયેલી હોવાથી એકદમ ત્યર્યું હતું : શિયાળે બેરડીનાં બોર ત્યજ્યાં હતાં એમ. એ દષ્ટાન્ત આ પ્રમાણે છે: પૂર્વે કઈ વનમાં એક શિયાલ રહેતું હતું એણે રાત્રીને વિષે કેટલાક મનુષ્યને પરસ્પર એમ વાત કરતા સાંભળ્યા કે જે , પ્રાણી, પિતાને અત્યન્ત પ્રિય હોય એવી વસ્તુને નિયમ કરે એને નિશ્ચયે મહાપુણ્ય થાય. એ સાંભળીને શિયાળે પણ અભિગ્રહ કર્યો કે મારે પણ બોર ખાવાં નહિ કેમકે એ મને બહુ પ્રિય છે. કાર્તિક - માસ આવ્યા એટલે બરડીઓ ફાલી અને બેર પાક્યાં એ જોઈ શિયાળે પિતાનું મન મનાવ્યું કે મારે બેર ખાવાનો નિયમ છે, કંઈ સુંઘી જવાનો નિયમ નથી એમ કહી પાસે જઈ પ્રથમ એ બેર સુંધ્યાંઅને પછી પુત્રની જેમ, એને વારંવાર હર્ષ સહિત ચુંબન કર્યું. વળી પછી “મારે એ બાર મુખને વિષે ગળી જવાને : PP.AC.-Guiratnasufi M.S. * Jun Gun Aaradhak Trus૧ર.