SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (14) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, આશ્રય નહિં રહે. વળી અન્ય સુભટો પણ કહેવા લાગ્યા–અરે મિથ્યાજ૫, તું આમ ગમે એમ બેસે છે તેથી તારે તો વધ જ કરે જોઈએ. પરંતુ તે એક દૂત તરીકે અહીં આવેલ છે એટલે તને જવા દઈએ છીએ. અમે તે કયારના સજજ થઈ રહ્યા છીએ. તારા સ્વામી પર અમે વિજય નહિં મેળવી શકીએ તોયે અમારા હાથની ખરજ તો ભાંગશે જ. એ સાંભળી દૂત કંઈ પ્રત્યુત્તર આપવા જતો હતો એવામાં એમણે એને ગળે પકડી કાઢી મૂક. દૂતે જઈને સર્વ વાત મકરધ્વજને કહી એટલે કયારનો ધુંધવાઈ રહેલો એનો ક્રોધાગ્નિ એનાં વચનરૂપી વાયુથી પ્રેરાઈ પ્રવલિત થયે; અને એક દ્વિજ સર્વ સામગ્રી લઈને હવન કરવા જાય એમ પોતાનું સર્વ સિન્ય લઈને યુદ્ધ કરવા ગયો. સંવર કોટ્ટપાળ પણ સકળ સેના સહિત કટિબદ્ધ થઈને સામે આવી ઉભે. કારણ કે સિંહ હોય છે એ અન્યને સહન કરતો નથી. એમનું યુદ્ધ જેવાને ગગનમાં દેવતાઓ અને વિદ્યારે કંઈ ઉત્સવ નીરખવાને હાયની એમ હર્ષ સહિત એકત્ર થયા. કારણ કે સર્વ પ્રાણીઓને પ્રાય: કુતુહળ જોવું બહુ ગમે છે. એટલામાં તો . કાયર પુરૂષનાં હૃદયને થડકાવી નાખનારાં ભયંકર રણવાજિંત્રો બને સિન્યમાં વાગવા લાગ્યાં. - દુર્જયશત્રુની સાથેના યુદ્ધમાં, ચકવતી રાજા જેમ ચકને મેખરે રાખે છે તેમ ચરિત્રધર્મ ભુપતિએ જેને સિન્યને મેખરે રાખેલ છે; વળી જે સૈન્યમાં હોય છે તે જ રણક્ષેત્રમાં ચારિત્ર ધર્મ ભુપતિનું ચિત્ત સ્વસ્થ રહે છે અન્યથા દેલાયમાન થઈ જાય છે; એવા નિરહંકાર વગેરે ચતુરબંદિજને સંવરના પક્ષના સુભટેને ઉત્સાહિત કરવા લાગ્યા કે—હે સિનિક! જેણે મેહરાજાના પુત્ર રાગના તનુજ મકરધ્વજને મુખ થકી જ પરાજ્ય કરીને એનાં કુંભ અને ધ્વજા હરી લીધાં છે; અને જે એક જ પ્રહારથી શત્રુઓને માટીની જેમ ચુરી નાખી શકે છે;એવા સંવરદેવના તમે સેવકે છે. તમે પોતે પણ પૂવેર * યુદ્ધમાં અનેકવાર જય P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy