SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લુંટારાની જેમ નગરમાં લુંટ ચલાવી જણાય છે! આવું અસદવર્તન આદરીને શું તું ચિરકાળ પર્યન્ત રાજ્ય કરી શકીશ-એમ ધારે છે? શું લેકે કદાપિ કયાંઈ વણમાગ્યે પિતાનું દ્રવ્ય અને એ પણ આમ અનર્ગળ ઢગલાબંધ આપે ખરા ? તે પ્રજાને આમ પીડા ઉપજાવીને આપણા પૂર્વજોની કીર્તિને ગુમાવી છે!! એ સાંભળી અમૃત કરતાં પણ ચઢી જાય એવાં વચનવડે વિનયવાન પુત્ર અભયકુમારે પિતાને કહ્યું- હે તાત, જે આપના યશને લાંછન લાગે એવું મેં કંઈ કાર્ય કર્યું આપને ભાસતું હોય તે આપના વિશ્વાસુ ચરપુરૂષને મોકલી તપાસ કરાવે. - નિર્ભય પુત્રનાં એ વચન શ્રવણ કરીને પિતા-શ્રેણિક રાજાએ, નહોતો જેમને કંઈ પણ રાગ કે નહોતે કંઈ પણ રોષ એવા પિતાના ચર-સેવકોને રાત્રીને સમયે નગરને વિષે મુખ્યમુખ્ય માગે ફરીને અભયકુમારનાં ચેષ્ટિત પરત્વે જે કંઈ બેલાતું હોય તેની તપાસ કરવાને મોકલ્યા. એ સેવકજનેને સમસ્ત નગરને વિષે અભયકુમારનાં યશગાન ગવાતાં શ્રવણે પડ્યાં. અથવાતો સુરગિરિ મેરૂ પર્વત ઉપર સુવર્ણના ઝળહળી રહેલા પ્રકાશ શિવાય બીજું શું હાય ? આમ્રવૃક્ષ પર, ચિત્તને આહૂલાદ ઉન્ન કરનારી રમણીયતા વિના બીજુ શું હોય ? " આહા ! મેઘજળ જેમ વસુંધરાને તૃપ્ત કરે છે એમ જણે આપણને આ પાંચ દિવસમાં સર્વ પ્રકારે સુખી સુખી બનાવી દીધા છે એ રાજમંત્રી અયિકુમાર પૃથ્વી પર, ચિરંજીવ રહે ! અખિલ આકાશપ્રદેશને ચંદ્રમાં પ્રકાશમય કરે છે એમ એણે કુળને ખરેખર અજવાળ્યું છે. યોગીવરના વચનથી જેમ સતી સ્ત્રી સનાથ થાય છે એમ એ કુળદીપક રાજપુત્રથી પૃથ્વી ખરે જ સનાથ થઈ છે. નહિં તો એ રઘુવીર રામચંદ્રની પેઠે, પ્રજાજનને ઉત્કૃષ્ટ નીતિને માગે સંચરાવે કેવી રીતે ? એને બદલે જે કે અન્ય અધિકારી હોત તે એ તો ઉલટ આપણને નિશ્ચયે પીડીપીડીને દ્રવ્ય અને વૈભવથી ભ્રષ્ટ કરી, રંક બનાવી દેત. સકળ પ્રજાજનને નિર્ભય બનાવનાર, નીતિમાન અક્ષયકુમાર તુલ્ય સપને જેમને પ્રાપ્ત થયેલ છે એવા એના પીપાવન માતપિતા પણ
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy