SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉદાયન રાજાને મુનિએ આપેલ ઉપદેશ (58 ) આ રસલપટ જીલ્ડ હેટ હેટાના પણ માન મૂકાવે છે. રાજા હજુ તે પહાએ ન પહોંચે ત્યાં તે કૃતિમ આશ્રમના કૃત્રિમ તાપસે એને મુષ્ટિ પ્રહાર કરવા લાગ્યા. એટલે એ તે શુરવીર છતાં એકાકી હાઇને ભયભીત થઈ પલાયન કરી ગયો. વીર્ય ઉભરાઈ જતું હોય છતાં પણ વિવિધ કર્મોના આવરણ હોય તે પ્રાણીની કેવી દશા થાય છે એ જોયું ? ભયને કારણે પલાયન કરી જતાં, દર્પણ સમાન નિર્મળ અત:કરણ વાળા ઉત્તમ સાધુએ રાજાની નજરે પડયા. એમણે એને નિર્ભય કર્યો અને એ પણ એમને શરણે ગયે. એટલે એકલા ધર્મિષ્ટ એવા એ મુનિએ એ એને શાન્ત કરી અમૃત તુલ્ય મિષ્ટ મનહર ધર્મોપદેશ સંભળા : , , : આ અસાર સંસારમાં ભાવ શત્રુઓથી પરાજય પામી હેરાન થતા પ્રાણીઓને મોક્ષ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તે એમણે એક ફક્ત ધર્મનું શરણ લેવું એ ધર્મનું મૂળ સભ્યત્વ છે. સમ્યક્ત્વ એટલે સુદેવ, સુગુરૂ અને સત્ય ધર્મને વિષે રૂચિ. બુદ્ધિમાન મનુષ્યએ દેવ તથા ગુરૂને ઓળખવા જોઈએ, અને તત્વને જાણવા જોઈએ. , જેમકે રાગ, અરતિ, રતિ, દ્વેષ, પ્રમાદ, ભય, જન્મ, ચિન્તા હાસ્ય, જુગુપસા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, દર્પ, વિષાદ, અવિરતિ, નિદ્રા અને અન્તરાય-એ અઢાર દો જેનામાં ન હોય એજ દેવ સમજવા. વળી નિરન્તર બ્રહ્મચર્ય પાળનાર, કરૂણું મય જીવન નિર્ગમન કરનાર, શત્રુ અને મિત્રમાં સમભાવ વાળા તૃણ અને સ્ત્રી જનને એક ગણનારા તથા સુવર્ણ અને કાષ્ટને સમદષ્ટિએ જેનારા હોય એ ગુરૂ સમજવા. વળી તો જાણવા જોઈએ એમ કહ્યું–એ તો નવ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બન્ધ અને મોક્ષ. ધર્મને વિષે શંકા નો ત્યાગ, આકાંક્ષાને ત્યાગ, અનિશ્ચયન ત્યાગ ને મૂઢદષ્ઠિનો ત્યાગ એમ આ ચીર ત્યાગ, તથા વૃદ્ધિ કરણ, સ્થિરતા, સાધર્મિક વાત્સલ્ય અને પ્રભાવના એમ થઈને કુલ આઠ, દર્શન એટલે um Aaradhakrust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy