SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભય કુમાર મંત્રોનું જીવન ચરિત્ર, (પ૩ ). લક્ષમીરમણ, સમુદ્રશાયી કૃષ્ણ દેવ અમને દર્શન ઘો. તમારા તીર્થની અવમાનના થતી હોવાથી પૃથ્વી પર અવતરેલા, હે ! કરૂણાસાગર બુદ્ધદેવ, અમને દર્શન આપે. " આમ વિવિધ દર્શન વાળાઓએ વિવિધ દેવનું સમરણ કરી તીણ પરશુ આદિ વડે પ્રહાર કર્યા પરન્ત પેટી તે જાણે વા હાયની એમ લેશ પણ ભેદી શકાઈ નહીં ઉલટું એમ થયું કે પર્વ પર દ—શલ વડે પ્રહાર કરનાર હસ્તીના દતુશળજ ભાગી જાય એમ, પ્રહાર કરનારાઓના કુહાડા જ, દઢ ખંડમય હતા છતાં, ભાંગી જવા લાગ્યા. “લાગ્યું તે તીર, નહિંતર થું” એમ ગણુને પણ અનેક જણાએ પ્રહાર કરી જોયા પરંતુ સર્વે વિલક્ષ થઈ હારીને હેઠા બેઠા. ઉદાયન નૃપતિ પોતે પ્રભાતને આવેલે એ ચે આ આશ્ચર્ય જોઈ રહ્યો હતો. સમય વખત કેાઈની વાટ જેતે નથી એટલે પ્રભાત વીત્યું અને મધ્યાન્હ થયે તેથી સહસ્ત્ર કીરણ વાળે સૂર્ય પણ " અરે લેકે, તમે પૂરા મુખ છે તમારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે કે જેથી તમે ત્રણ જગતને વંદનિક એવા દેવાધિદેવને મુકીને સામાન્ય જનેએ માનેલા અદેવેને સંભારો છે અને એમ કરીને એઓ તમને દર્શન દે એમ માગે છે " એ પ્રમાણે ક્રોધાયમાન થઈ કહેતું હોયની એમ અત્યન્ત તપવા લાગ્યા. એ વખતે ભજનવેળા વીતી ગઈ છતાં હજુ સ્વામિનાથ ભેજનાથે કેમ ન પધાર્યા, એમ કહી રાણું પ્રભાવતીએ દાસીને રાજા પાસે મોકલી. પરંતુ રાજાએ ઉલટી રાણીને, આશ્ચર્યકારક ઘટના બની રહી હતી એ જેવા ત્યાં બોલાવી. નિઃસીમ સ્નેહ તે આનું નામ ! પેમી રાજાએ પ્રિયા–રાણીને સર્વ વૃત્તાના અતિ વર્ણવ્યા. કેમકે એવી (ગુણવતી) સ્ત્રીને એવી ઘટના કહેવી એ ચોગ્ય જ છે. પતિદેવને કહેલે વૃત્તાન્ત શ્રવણ કરીને, રાણી પ્રભાવતી જે પરમશ્રાવિકા હતી એણે કહ્યું–હે નાથ, આપે કહ્યા એ બ્રહ્મા પ્રમુખ દેવો કંઈ દેવાધિદેવ ન કહેવાય. દેવાધિદેવ તે ફક્ત એકજ છે અને એ અહેતુ જિનદેવ છે. કેમકે, જુએ ! છખંડ AC. Gunratnasuri M.
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy