SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( 7 ) શ્રી અક્ષય કુમાર મોશ્વરનું જીવન ચરિત્ર. ઉજયિની સુધી આવી પહોંચ્યા. અને મહંત પુરૂ કરતાં પણ અધિક ગુણવાન નર પૃત્રીમંડળ પર કૈક પડયા છે એ વાતને સત્ય કરી બતાવી. - હવે ચંડપ્રોત પણ ગર્વ આણુને સામે યુદ્ધ કરવા ઉતરી પડે. તુરતજ પોતાના સૈન્યના બે ચતુથે ચતુર્થ ભાગ એકત્ર મોકલીને વૈરિની સેનાને આગળ આવતી અટકાવી. એણે પછી પ્રયાણ માટે ભેરી વગાડવાનો આદેશ કર્યો તે એમાંથી પોતાના સ્વામીનું અનિષ્ટ સૂચવતે હાયની એ કર્કશ નાદ નીકળવા લાગે. વળી પટ્ટહસ્તીને સજજ કરી લાવવામાં આવ્યા ત્યાં, એના પક્ષવાળાને પરાજય થવાને છે એમ પોકારતી હોયની એવી છીંક કેઈને આવી. વિજયધ્વજ આવ્યો એયે કયાંક પછ. ડાઈને આવ્યું એ પરથી જાણે એમ સૂચિત થયું કે હવે એના માલિકના ભાગ્યમાં પછાડા જ છે. છત્ર લઈને આવનાર છત્રધર સેવક પણ તે વખતે ઠેશ વાગવાથી ભૂમિ પર લેટી પડે. સુભટેનાં ભાલપ્રેદેશમાં ચંદનના ત્રિપુંડૂક કરવામાં આવ્યાં પણ તે તે ક્ષણવારમાં સુકાઈ ગયાં તેથી જાણે એમ સૂચિત થયું કે એમને વીર રસ જ જાણે શુષ્ક થઈ ગયા છે. સૈનિકે સજજ થયા ત્યાં તે પ્રથમથી જ એમના શરીરમાંથી પ્રસ્વેદ ગળવા લાગ્યો એણે જાણે એમ સૂચવ્યું કે એમનું પરાક્રમ જ ગળી જવા લાગ્યું છે. પછી યુદ્ધની શરણાઈ વાગવી શરૂ થઈ એમાંથી નીકળતા કરૂણ સ્વર જાણે એમ સૂચવતો હતો કે ભવિષ્યમાં આવી પડનારી વિપત્તિની શંકાથી એ રૂદન કરી રહી છે. વળી રાજાને પ્રતાપ સૂચવતે દાહ-તાપ ચેમેર શરૂ થયો અને દિશાઓ સર્વે પણ જાણે રજસ્વળા હોયની એમ રેજોમય થઈ રહી (ધૂળ ઉડવા લાગી) સૈન્યના ભારથી જ થયે હેયની એમ વળી ધરતીકંપ થયે, અને ચંડપ્રદ્યોતના પ્રતાપનો પાત થયે હોયની એમ દિવસે પણ ઉકાપાત થયે. આ ઉપરાંત અન્ય પણ અનેક અશુભ શુકન થયાં એને યુદ્ધથી નિશ્ચયપૂર્વક વારતો હેયની એમ વાયુ પણ પ્રચંડ પણે સામે વાવા લાગ્યા અને નગરમાંથી બહાર
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy