Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.१
અરિહંત સર્વ સાધુઓમાં પ્રથમ અર્થાત્ અગ્રણી છે” આમ પ્રથમ શબ્દનો અગ્રણી અર્થ પ્રાપ્ત છે. તેમ અહીં પ્રથમ શબ્દ અગ્રણી-વ્યાપક અર્થમાં છે. કર્ણ એ ઢૉ કાર આદિ બીજોમાં પ્રથમ છે એટલે પહેલા ક્રમે છે તેમ અર્થ ન કરતા તે સર્વબીજમય હોવાથી સર્વ બીજમાં વ્યાપીને રહેલો છે આમ અર્થ કરવો. જેમ ક શબ્દમાં અધો રેફ ( કાર) છે તેમ અધો રેફ - --*-ગો-i-1: આ વર્ષોથી યુક્ત એવું બીજ બને છે. તે બીજ હ્રૌં હ્નો છૂં-હ્યા - આ પાંચ છે. આ સર્વ બીજમાં ગર્દનો -- કે અનુસ્વાર ભળેલો છે, માટે તે વ્યાપક છે. આમ કર્દ એ જ બીજ છે. અથવા અન્યદર્શનોમાં બતાવેલા રૈલોક્યવિજયા, ઘટાર્ગલ, સ્વાધિષ્ઠાન, પ્રત્યડિગરા આદિ સિદ્ધોના જે ચકો છે તેમાં નોરકાર પ્રધાન બીજ છે. અથવા સિદ્ધ તરીકે પ્રસિદ્ધ નથી ક્ષ સુધીના પચાસ વર્ગોનું જેચક (= સમુદાય) તેનું મર્દ એ પ્રધાન બીજ છે.
(6) ફરી સત્તાનોપનિષદ્ભૂતમ્ વિશેષણ મૂકી મર્દ ની વિશેષતા બતાવે છે - ગણિપિટકરૂપ સકલ દ્વાદશાંગી કે જે આ લોક અને પરલોકના ફળ આપનાર આગમ સ્વરૂપ છે, તેનું મર્દ એ ઉપનિષ અર્થાત્ રહસ્ય છે. પંચપરમેષ્ઠિના જે -સિગા-3-સ રૂપે પાંચ બીજો છે અને ગરદન્ત વિગેરે જે સોળ અક્ષરો છે તે જ દ્વાદશાંગીનું રહસ્ય છે. જેમકે પંચપરમેકિસ્તુતિમાં કહ્યું છે - જે મહા અર્થવાળું, અપૂર્વઅર્થવાળું અને પરમાર્થ વાળું તથા જગતને વિશે ઉત્તમ એવું દ્વાદશાંગીરૂપ મૃત અને અંગબાહ્ય શ્રત છે તે સોળ પરમાક્ષર રૂપ બીજબિંદુથી ગર્ભિત છે.” અથવા સકલ જે સ્વ-પર પરંપરામાં પ્રાપ્ત થતા આગમો, તેઓને વિશે પરમેશ્વર એવા પરમેષ્ઠિનું વાચક કરું તત્ત્વ રહસ્યરૂપે પ્રણિધાન કરાય છે. આમ ગર્દએ સ્વ-પર શાસ્ત્રોરૂપ જે આગમ છે તેનાં રહસ્યભૂત થાય છે.
શંકા - અë શબ્દ અરિહંતનો વાચક છે તેથી તે પરશાસ્રરૂપ લૌકિક આગમોનું રહસ્ય શી રીતે બની શકે ?
સમાધાન સાચી વાત છે. છતાં વ્યાકરણ સર્વપાર્ષદ્ (બધા જ દર્શનના અનુયાયીઓને માન્ય બને એવું) હોવું જોઇએ. તેથી સઘળાય દર્શનકારોને માન્ય બને એવો નમસ્કાર કહેવો જોઈએ. મરું તેવા પ્રકારનો નમસ્કાર છે. જેમકે “મર્દ ના ક થી વિષ્ણુ, ૨ થી બ્રહ્મા અને થી હર (મહેશ) જણાય છે અને ચંદ્રાકારથી૧). મોક્ષ જણાય છે.” આ શ્લોકથી જઈ શબ્દ વિષ્ણુ વગેરે ત્રણ દેવતાઓનો વાચક હોવાથી લૌકિક આગમોને વિશે પણ કરું શબ્દ ઉપનિષદ્ભુત છે એ જણાઈ આવે છે.
(7) હવે ફળના અર્થી જીવોને સેવાની પ્રવૃત્તિમાં કારણભૂત યોગક્ષેમ કરવાનું સામર્થ્ય અરે મંત્રમાં રહેલું છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિને યોગ કહેવાય અને પ્રાપ્ત વસ્તુના પાલન(રક્ષણ) ને ક્ષેમ કહેવાય. પ્રાપ્ત વસ્તુનું જો રક્ષણ ન થવાનું હોય તો અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ નકામી નીવડે. માટે અહીં પૂર્વે ક્ષેમ બતાવ્યા પછી યોગ બતાવતા (A) સિદ્ધશિલા ચંદ્રાકારે હોવાથી ચંદ્રાકારનો અર્થ મોક્ષ કર્યો છે.