________________
એ જમીનનો ત્યાગ કરતી વખતે કઈ કઈ ભાવનાઓ એ ભાઈઓમાં હશે, તેનો ચિતાર સિદ્ધપુરમાં જોવા મળ્યો. ત્યારપછી થોડી ઓટ આવવા લાગી પણ ધંધૂકા પરિષદ થઈ, અને નવું જોમ આવ્યું. મિંગલપુર તો આખું ગામ તૈયાર હતું પણ છેવટે ૨૦ નામ લીધાં. મને યાદ છે કે પાલનપુર વખતે રવિશંકર મહારાજ આવેલા. તેમણે આ ખેડૂતોનો ઉત્સાહ જોયો, ખુશ થયાં. પ્રશ્ન બહુ મોટો છે. કેટલાક વિચાર પછી આ પગલું લેવાયું. આખા પ્રદેશ માટે આ ૨૫ ખેડૂતો બલિદાન આપવા તૈયાર થયા. દેશના ભાગલા નાછૂટકે સ્વીકાર્યા, હિજરત જોઈ સૌ હેબતાઈ ગયા. ગાંધીજીને ખોયા, કેવાં નવલોહિયા ભાઈ-બહેનો ચાલ્યા ગયા. સ્વામી શ્રદ્ધાનંદનું ખૂન પણ આવા કોમી વાડા ઉપર જ થયું હતું ને !
આપણે કરવાનાં કામોનો વિચાર કરીએ ત્યારે જ આ બલિદાનની કિંમત સમજાય છે. ગાંધીજી કહેતા, જેણે કાનૂન પાળ્યો નથી તેને કાનૂનભંગનો અધિકાર નથી. હવેનો તબક્કો જમીનના સવાલનો છે. ચીને કતલથી પ્રશ્નનો નિકાલ કર્યો. ભૂદાનમાં લાખો એકર જમીન મળી પણ જમીનની સાથોસાથ શોષણમુક્તિ અને બીજા પ્રશ્નો પણ લેવા પડશે. તમે જે રસ્તો શુદ્ધિપ્રયોગનો લીધો છે તે દુનિયાને માર્ગદર્શક બનવાનો છે. જાતે સહન કરી, ત્યાગ કરી સામા માણસનો હૃદયપલટો કરાવવાનો છે. આ પ્રયોગ પરિણામલક્ષી નથી. સરકાર કે જનતા તેનું ફળ નહીં આપી શકે. સંજોગો જ તેને ફળ આપી શકશે. આજની લોકશાહી ખીલતી છે. ચૂંટણીની ગેરરીતિઓ આપણે જોઈ. શુદ્ધિપ્રયોગનો રસ્તો જ આત્મશોધનનો છે, ન્યાયનો છે. આજે પવિત્ર દિવસ છે. આવતી કાલનો દિવસ જુદી રીતે ઊજવવાનો છે. તેની પ્રતિજ્ઞા આવતી કાલે વંચાશે. ગ્રામસ્વરાજ લોકો માગે છે. લોકશાહીમાં તે આપવું જ જોઈએ પણ તેને માટે બલિદાન જોઈશે. લોકો કહ્ય લોકો જાગ્યા પણ પૈસામાં, ત્યાગમાં નહીં. અહીં ૨૫ ખેડૂતે જમી ત્યાગી છે.
જિન પ્રેસની સમજણ આવી છે, તે જરૂરી છે પણ પૈસા વધારે કેમ મળે, તેનો વિચાર થશે તો તે સમજણ નહીં કહેવાય. પણ મને તો એમ લાગે છે કે અજ્ઞાન કરતાં જ્ઞાન સારું છે. ૨૫ ખેડૂતોની ચિંતા સતત મને રહ્યા કરે છે. કયે મોઢે “સકલ જગતની બની જનેતા' કહેવાઉં ? બહેનો ઉપર શ્રદ્ધા છે. આશા તો છે જ પણ બહુ દૂર છે. પહેલાં પહેલાં તો કંઈ કંઈ
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૪૯