________________
આર્યસમાજ તરફથી ગુરુકુલ ચાલતું હતું, તે બંધ થયું ત્યારપછી લાખાભાઈ પટેલે હાઈસ્કૂલ શરૂ કરી. તેને સારી રીતે વિકસાવી છે. છાત્રાલય પણ છે. નર્મદાને કિનારે થોડે દૂર સુંદર સ્થળ છે.
અહીં દરેક કાર્તિકી પૂનમે મોટો મેળો ભરાય છે. પંચાયતને તે વખતે સારી આવક થાય છે. ગામમાં શુક્લેશ્વર મહાદેવ અને વિષ્ણુ ભગવાનનાં મંદિરો છે. અહીં ભારત આવવાના હતા. પાણી ચોકમાં રહે છે. કબીરવડ સામે પાર છે. હવે તો નાનો થઈ ગયો છે.
અહીં ચંદ્રશંકર ભટ્ટ અને દેવીપ્રસાદભાઈ જેઓ બંને કૉંગ્રેસના કાર્યકરો છે અને ચંદ્રશંકર ભટ્ટ પાર્લામેન્ટના સભ્ય છે તે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમની સાથે મહારાજશ્રીએ ગ્રામસંગઠન અંગે ચર્ચા કરી હતી. તેઓ સાંજના પાછા ગયા હતા. શ્રી મનુભાઈ પંડિતને મેં શુક્લતીર્થ આવવા લખ્યું હતું. તેઓ આવી પહોચ્યા હતા. હોડીના સહપ્રવાસમાં સૌને આનંદ આવ્યો હતો. તા. ૧૩-૧૨-પ૭ : ઝઘડિયા
શુક્લતીર્થથી નીકળી ઝઘડિયા આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. શુક્લતીર્થથી જ અમારે હોડીમાં નર્મદા પાર કરવી પડી. આ બાજુને કિનારે પાણી વધારે હોય છે. હોડી તૈયાર જ હતી. તેમાં સામાન વગેરે મૂકી બેસી ગયા. ગુલાબસિંહભાઈ ઝઘડિયાના ભાઈઓ સાથે કાંઠે આવ્યા હતા. ત્યાં સુધી અમને મૂકી ગયા. હોડી સહેલાઈથી પાર ઊતરી ગયા. કિનારે જ ઊતર્યા. કાંઈ મુશ્કેલી પડી નહોતી. ઝઘડિયાના ભાઈઓ એક વાગ્યાના સામે સ્વાગત માટે આવ્યા હતા. જતાં વાર જ પ્રથમ હરિજનવાસમાં સભા રાખી હતી. હરિજનોની મુશ્કેલીઓ સાંભળી. તેમને મુડદાલ વગેરે ચા-વ્યસનો છોડવા અને જમાના સાથે ચાલવાનું કહ્યું હતું. ચમારવાસ, હરિજનવાસ વગેરેની મુલાકાત લઈ સૌ નિવાસસ્થાને આવ્યા. મુખ્ય વ્યવસ્થાપકે મુનિશ્રીનો પરિચય આપતાં જણાવ્યું કે મુનિશ્રી ભાલ નળકાંઠામાં સહકારી પ્રવૃત્તિમાં સારો રસ લે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સહકારી પ્રવૃત્તિ વિશે પ્રથમ પૂછે છે.
તમે બધાં સહકારી પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છો તે બદલ ધન્યવાદ આપું છું. દુનિયામાં સહકારી પ્રવૃત્તિ ચાલે છે તેમ આ દેશમાં ચાલે છે. આ
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૪૫