________________
મારવી જોઈએ. ગણોતધારો અન્યાય છે. તેઓ તેમના જ વિચારો રજૂ કર્યા કરતા હતા. બીજાને બોલવાનો અવકાશ ઓછો આપતા હતા. બીજાનો વિચાર પણ સમજવા પ્રયત્ન ન કરે એટલા આગ્રહી લાગ્યા.
અહીંની ઇલેક્ટ્રિકસિટી સહકારી પદ્ધતિથી ચાલે છે. ખુશાલભાઈએ તેમાં ૮૦ હજાર રોક્યા છે. સહકારી બેંકે પણ ધીય છે. આજ સુધી ખોટમાં કામ થતું નથી. હવે નફો કરે છે.
સહકારી જિન પ્રેસ છે પરંતુ તે એકલા પાટીદારોનું છે. ખાંડ મિલ પણ સહકારી છે. મોહન પરીખની સાથે વાતો થઈ. તેઓ ખાંડના કારખાનામાં સાથે આવ્યા હતા. તેમની બા મોટી સાથે પહેલે દિવસે ખૂબ વાતો થઈ હતી. કિશોરભાઈનાં પત્ની ગોમતીબહેન પણ અહીં જ રહે છે. આશ્રમનો સુંદર બગીચો છે. ખેતીલાયક જમીન પણ છે. કુલ ૧૬ એકર જમીન છે. ચીકુ અને આંબા ઘણા સારા થાય છે. સરદારે જાતે ફળ-ફૂલ લાવવામાં મહેનત અને ઉન્નતિ કરેલી.
આશ્રમમાં દવાખાનું ચાલે છે. તે મંજુબહેન કિ. ધ. મશરુવાળાનાં ભત્રીજી સંભાળે છે. તેઓ વષોથી ડૉક્ટર તરીકે કામ કરે છે. ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓનાં દદો ઉપર તેમની સારી પકડ છે.
તેમની જાણવા જેવી વાત એ છે કે તેઓ સ્વચ્છતાનો અતિરેક કરે છે. તે એટલી હદ સુધી કે હાથ ધોવામાં વારંવાર સાબુનો ઉપયોગ કરે છે. બેથી ત્રણ કલાક સુધી સ્નાન કરીને શરીર સફાઈ કરે છે. કોઈ વસ્તુ હાથમાં લે અને પછી તરત સાબુથી હાથ ધોઈ નાખે. આના પરિણામે તેમના હાથ ફૂગાઈ ગયા છે. સફેદ સફેદ થઈ ગયા છે. મીરાંબહેને તેમને કહ્યું તમે કલાક અડધો કલાક સ્નાન કરો તો ના ચાલે ? તેમણે કહાં, મને ટેવ પડી ગઈ છે. હવે તો મર્યે જાય. મને ઘણાં સમજાવે છે પણ ટેવ છૂટતી નથી. આ પણ એક આશ્ચર્ય ગણાય.
રાટો જાહેરસભા થઈ હતી. બહારગામથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અવલોકનાર્થે આવ્યા હતા તે પણ સભામાં હાજર રહ્યા. પ્રાર્થના આશ્રમની કરી હતી. તા. ૨૯-૧૨-૫૭ : સેજવાડ
બારડોલીથી સેકવાડ આવ્યા. આશ્રમવાસીઓ ઠેઠ ગામની બહાર દૂર સુધી ભજનો ગાતાં ગાતાં વિદાય આપવા આવ્યાં હતાં. ગામના આગેવાનો સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું
૧પ૯