Book Title: Sadhuta ni Pagdandi Part 6
Author(s): Manilal Patel
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 216
________________ છે અને પ્રમુખ થવાને લાયક છે. ત્યારબાદ ચીમનલાલ પોપટલાલે અને નરભેરામભાઈએ પણ ક્ષમા યાચતું પ્રવચન કર્યું હતું. એકંદરે સંઘમાં જે ફાટટ હતી તે સંધાઈ ગઈ અને સર્વત્ર આનંદમંગળ વતઈ ગયું. એક સંપથી સૌને સંતોષ થયો બીજે દિવસે કાંતિભાઈ પણ આવી ગયા હતા, તેઓ કહે મેં ક્રોધ અને માન નહિ કરવાનું નક્કી કર્યું છે. મહારાજશ્રીની ૫૫મી જન્મતિથિ પણ સંઘે જુદી જ રીતે ઊજવી. ભાલ નળકાંઠાના ૫૫ ખેડૂતોને પોતાને આંગણે આમંત્રી ભાલ નળકાંઠા ખેડૂત મંડળને તે વખતના પંચાયત પ્રધાન રતુભાઈ અદાણીને હસ્તે ૫૫ હજાર રૂપિયાનું દાન આપ્યું અને બીજી રકમ વધી તેનાથી બહેનોના ઉદ્યોગ માટે માતૃસમાજની સ્થાપના કરી. આમ ઘાટકોપરનું ચાતુમસ યશસ્વી અને યાદગાર તથા સમાજઘડતર માટે અનોખું બની ગયું. ચાતુમસની વધુ વિગતો : ૯ થી ૧૦ રત્નચંદ્ર જૈન કન્યાશાળામાં શ્રીનાથજીના પ્રમુખપદે મેળાવડો હતો. ત્યાં આમંત્રણ હોવાથી ગયા. આજે જાદવજી મોદી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. બપોરના ૪-૧૫ થી પ-૩૦ સુધી અહીંની ગુરુકુલ હાઈસ્કૂલમાં જાહેર પ્રવચન રાખ્યું હતું. વિદ્યા અને વિનય ઉપર કહ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરી થઈ હતી. વિદ્યાર્થીઓને બહુ આનંદ આવ્યો. તા. ૨૯-૩-૫૮ : આજે અંબુભાઈ, ફલજીભાઈ, કચ્છથી ગુલાબભાઈ ધોળકિયા, મગનભાઈ સોની, કુંવરજીભાઈ અને ધરમશીભાઈ આવ્યા. નયા અંજાર વિશે થોડી વાતો થઈ. ખાંભડા અંગે પણ થોડી વાતો થઈ. આજે ઘંટોલી સર્વોદય વિદ્યાલયના ૨૨ વિદ્યાર્થીઓ મહારાજશ્રીની મુલાકાતે આવ્યા. બપોરે જમીને મુંબઈ જોવા ગયા. રાત્રે આવી ગયા. બીજે દિવસે તેમની સમક્ષ એક કલાક પ્રવચન કર્યું. મુખ્ય પ્રશ્ન નઈ તાલીમ અને ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ તથા ભૂદાન કાર્ય દેશની પરિસ્થિતિમાં કઈ રીતે ઉપયોગી થાય તે સમજાવ્યું હતું. તા. ૩૦-૭-૫૮ : નયા અંજારના પ્રશ્ન અંગે આજે બપોરે ૪-00 વાગે કચ્છના કાર્યકરો, અંબુભાઈ, ફૂલજીભાઈ, નાયબ પ્રધાન પ્રેમજી ભવાનજી અને ભવાનજી અર્જુન ખીમજી મહારાજશ્રીની રૂબરૂમાં મળ્યા. સાત વાગ્યા સુધી બેઠા. બધી ૨૨૦ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250