________________
આર્થિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક ચૂંટણીમાં ભાગ ન લેવો. આ ઠરાવ કંઈ નાનોસૂનો નથી. બૅન્ક ચૂંટણીમાં અમને બહુ કડવો અનુભવ થયો છે. સદ્ભાગ્યે શ્રીમન્નજી આ પ્રદેશમાં આવી ગયા. તેઓ અહીં ચાલતું કામ જોઈને પ્રભાવિત થઈ ગયા. એ અંગે ઇકોનોમિક રિવ્યુમાં એક નોંધ પણ લખી. નવલભાઈએ સંતતિ નિયમન, કુટુંબનિયોજન સપ્તાહ ઉજવાય છે, તેના વિરોધમાં જે ઠરાવ આપ્યો તે અંગે લંબાણથી સમજાવ્યું. ઠરાવ સર્વાનુમતે પસાર થયો. મહારાજશ્રી મહારાષ્ટ્રમાં જાય છે. તે અંગે પૂછતાં કોઈને ગમતું તો નહોતું, પણ પછી પ્રેમથી વધાવી લીધું.
અધૂરી રહેલી ચર્ચાઓ રાત્રે ચાલી. તેમાં લોકલ બૉર્ડ ચૂંટણીમાં મંડળે સક્રિય મદદ કરવી કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ. કૉંગ્રેસી ભાઈએ મંડળ પ્રત્યે જે દષ્ટિ રાખી છે અને માને છે કે આ લોકો ઉપર પડતા આવે છે. એટલે મંડળ સામે ચાલીને ચૂંટણીમાં મદદ કરવા ના જાય. કેટલાકે કહ્યું, કૉંગ્રેસ સાધનશુદ્ધિનો આગ્રહ ન રાખતી હોય તો રાજકીય, માતૃત્વ કોંગ્રેસનું શા માટે છોડી ન દેવું ? કોઈએ કહ્યું, એક વાર તેમને પછડાવા દો વગેરે વાતો ચાલી. સામે એ દલીલ થઈ કે દેશમાં ગામડાંને બળ કૉંગ્રેસનું અને કિૉંગ્રેસને બળ ગામડાંનું જ મળવાનું છે. બન્નેમાંથી એકેયને ચાલવાનું નથી. વળી આજે વચગાળાનો સમય છે. પછી જ્યારે ગામડાંનાં સંગઠન મજબૂત બનશે, લોકો સમજીને જિતાડવાની બાંહેધરી આપશે તો કોંગ્રેસ ગમે તેવા માણસોને નહીં મૂકી શકે,
છેવટે એવું નક્કી થયું કે ધંધૂકા તાલુકામાં પ્રતીક તરીકે એમ કરવું કે જ્યાં સુધી તાલુકા સમિતિ ચૂંટણીમાં મદદ માટે મંડળને રીતસરની માગણી ન કરે ત્યાં સુધી મંડળના પ્રમુખ-ઉપપ્રમુખ, મંત્રીઓ અને શાખા કાર્યકર આટલા જણે સીધી ચૂંટણી પ્રચાર ના કરવો. વળી બધાંએ પ્રચાર કરવો, મદદ કરવી. એકલા ધંધૂકા તાલુકામાં મદદની માગણી આવે તો બીજા તાલુકામાં આગ્રહ ન રાખવો.
મહારાજશ્રીએ ખાંભડાના ભાઈઓ સાથે પીતાંબરભાઈના ખૂન અંગે કેટલીક વાતો કરી. તા. ૧૫-૧૧-૧૭ ?
આજે રાત્રે પ્રાયોગિક સંઘની નવી નિમાયેલી કારોબારીની સભા મળી. પ્રથમ હોદ્દેદારોની ચૂંટણી થઈ. પ્રમુખ કુરેશીભાઈ, ઉપપ્રમુખ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૦૯