________________
જૈનોએ સારો પ્રેમ બતાવ્યો. લગભગ ત્રીસેક ઘર છે તે બધાંને ત્યાં ભિક્ષા માટે આગ્રહ થયો અને બધે મહારાજશ્રી જઈ આવ્યા.
અહીંના ગુલાબસિંહભાઈ જેઓ વિશ્વવાત્સલ્ય અને ‘નવા માનવી' વર્ષોથી વાંચે છે અને એ રીતે પરોક્ષ રીતે મહારાજશ્રીથી પરિચિત છે.
મહારાજશ્રીએ જણાવ્યું કે, ઘણાં વર્ષો પહેલાં શુક્લતીર્થમાં હું આવી ગયો છું. રણાપુર ગામ નર્મદા કિનારે છે, ત્યાં એક વર્ષ સમૌન એકાંતવાસ ૧૯૩૭માં ૨હેલો. ત્યારબાદ એક ચોમાસુ પણ થયું તે કાળ સાધનાકાળ હતો. આજે સ્થિતિ જુદી છે. ભાલ નળકાંઠામાં એક પ્રયોગ શરૂ થયો છે. મને ખબર મળી કે શુકલતીર્થના એક ભાઈ મળ્યા, તેમણે શુક્લતીર્થનો આગ્રહ કર્યો. એ રીતે કાર્યક્રમમાં તમારું ગામ આવ્યું.
ઘણાં વરસે આ ભૂમિમાં આવ્યો છું. આજે સમાજની જે રચના થઈ રહી છે તે અલગ અલગ રીતે થાય છે. ચિત્રકાર તૈયાર છે પણ ચિત્રના ભાગો એક થતા નથી. આ દેશમાં છેલ્લા વર્ષોથી ભૌતિક અસર વધારે થતી જાય છે. વિજ્ઞાન ભૌતિકતાને કારણે પડી ગયું. રાજ્ય પણ, ભૌતિકતાને મોખરે રાખીએ અને સાધુ-સંતો પણ એ જ રીતે ભૌતિકતામાં પડ્યા છે. ત્યારે બાકી શું રહ્યું ? એવા વખતે એક પુરુષ જાગ્યો. તેણે કહ્યું, મારા મોક્ષની મને ચિંતા નથી. દુનિયાનો મોક્ષ કેમ થાય તેની ચિંતા કરી. જેણે કોઈ દિવસ એ પુરુષને જોયો નથી તેવા અનામી અનેક લોકો તેમના મૃત્યુ પછી રોયા છે. કારણ કે તેમના મનમાં પ્રાણીમાત્ર પોતાનાં હતાં. હવે એ અધૂરું રહેલ કાર્ય આપણે પૂરું કરવાનું છે. તમારો બધાંનો પ્રેમ જોઈને સંતોષ થાય છે. આપણી અંદર આધ્યાત્મિક ભાવ પડ્યો છે તે બહાર કેમ આવે, આચરણમાં કેમ આવે તે પ્રયત્ન કરવો જોઈએ. જગદીશભાઈ સાંજે ગયા.
બપોરે ૩ થી ૪ વિદ્યાર્થીઓની સભા હાઈસ્કૂલમાં રાખી હતી. તેમાં મહારાજશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થીજીવન એ એક પવિત્ર જીવન છે. વિદ્યાનો કદી અંત આવતો નથી. એ રીતે આખા વિશ્વની વિદ્યા વિદ્યાર્થીનું જીવન છે. ગાંધીજીએ આપણને એ બતાવી આપ્યું છે. તમારી જે ઉંમર છે, તેમાં અનેક મહત્વાકાંક્ષા હશે. અમારી જે સ્થિતિ છે તે બહુ વિચારવા જેવી છે. એક કાળ એવો હતો કે ભણ્યા પછી શું કરવું તેનો વિચાર કરવાનો નહોતો. આજે એ સવાલો ઘણા વિદ્યાર્થીને પૂછું છું. ભણીને શું કરશો ? નોકરી ! નોકરીની કાંઈ પ્રાતિતી છે ખરી ? જવાબ મળે છે ‘નથી’. તો પછી ભણીને સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૪૨