________________
વૈષ્ણવ બહેનને મકાને રાખ્યો હતો. શહેરના આગેવાન નાગરિકોએ સૂતરની આંટીથી મહારાજશ્રીનું શહે૨ની પાદરમાં સ્વાગત કર્યું. ફલજીભાઈ મહારાજશ્રીનો કાગળ લઈને મુંબઈ રસિકભાઈન મળી આવ્યા. તેઓ અમને રસ્તામાં જ મળી ગયા એટલે મોટરમાંથી ઊતરી ગયા. રસ્તે ચાલતાં વાતો થઈ. કાયમી ગણોતિયાની વ્યાખ્યામાં રસિકભાઈ જે સુધારો કરવા માગતા હતા તેમાં અંબુભાઈએ કાયદાનો જે ભય બતાવ્યો હતો તે સાચો ઠર્યો. રસિકભાઈ અને કાયદાશાસ્ત્રીને પણ એ ભૂલ સમજાઈ. હવે તેઓ બુધવારે મિટિંગ ભરીને તેનો વિચાર કરશે. પટ ૨૦થી ઓછો નહિ કરી શકાય પણ જે લોકો ઓછું ગણોત ભરતા હશે તેમને પટની કિંમત વધી ન જાય તે માટેના કોઈ પ્રયત્ન કરશે. ફલજીભાઈ ૧૧ની ગાડીમાં ગયા. છોટુભાઈ અને જિન સમિતિના મંત્રી નાનાલાલ શાહ સ્વાગત માટે આગળ આવ્યા હતા. સુરાભાઈએ મોટરમાંથી જોયા એટલે સ્ટેન્ડ આગળથી ઊતરી સામે આવ્યા. તેમણે આજે સવારે ગોપાલકોની એક મિટિંગ રાખી હતી પણ અમોને કે સ્થાનિક કાર્યકરોને આનો ખ્યાલ નહીં આપેલો એટલે બીજો કાર્યક્રમ ગોઠવાઈ ગયો. છેવટે એ કાર્યક્રમમાં કાપ મૂકીને ગોપાલકનો કાર્યક્રમ પૂરો કરવા વિચાર્યું. એ જ સમયે એ જ જગ્યાએ ‘અહિંસાનો વિજય થાઓ’ એવાં સૂત્રો બોલતાં સૌ નીકળ્યાં એટલે કુદરતી માર્ગ થઈ ગયો. ત્યાં હાજર રહેલાં બૅન્ડે મહારાજશ્રીને સલામી આપી હતી.
બપોરના ૨ થી ૩ ભરૂચ જિલ્લા યુવક કૉંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ યોજાયો હતો. પ્રથમ આવેલાં ભાઈની ઓળખિવિધ નાનુભાઈ શાહે કરાવી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે તમને કદાચ કાર્યક્રમ મોડો મળ્યો હશે એટલે જિલ્લાના બધા કાર્યકરો આવી શક્યા નથી. આપણે કોંગ્રેસ એ શું છે ? તેનો વિચાર આજે કરવાનો છે. સમાજ યુવાનો પાસે વધારે આશા રાખે છે કારણ કે નવું લોહી જે વિચારને પકડી શકે છે તેટલાં જૂનું લોહી નવા વિચારો પકડી શકતું નથી. બાપુ જેવા કોઈ અપવાદ જરૂર હોય છે. કૉંગ્રેસની પાસે તેના સંગઠનમાં મદદ કરી શકે તેવા યુવક યુવતીઓ છે. ત્યારે કૉંગ્રેસન મજબૂત ક૨વા શા પ્રયત્ન થવા જોઈએ. ૬૨ વર્ષ સુધી કૉંગ્રેસે તપ, ત્યાગ દ્વારા ઇતિહાસ સર્જ્યો છે. મોતીલાલ નહેરુ જેવા જૂના વિચારના પણ આવી ગયા. તેમની જ સામે નવા વિચારોવાળા પંડિતજી પણ આવ્યા છે. કૉંગ્રેસ જૂના વિચારોને જાળવી રાખે છે અને કાઢી નાખવા સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૧૩૫