________________
કોઈએ પકડ્યા જ. એમ લાગે કે, પણ આ આ તે શું ? નિરાશ થયા સિવાય આગળ વધ્યે જવું.
મહારાજશ્રીએ આ નિમિત્તે બીજે દિવસે ઉપવાસ કર્યો. આવા ચારિત્ર્યહીનોને ધોળકા ગામ આશરો આપે છે. સર્વોદયના ત્રણેય કાર્યકરો કે જેમના ચારિત્ર્યદોષો થયા હતા તેમને આ ગામે આશ્રય આપ્યો, તેથી સૌને દુ:ખ થયું. તા. 9-૮-૫૭ :
આજે સાંજના ભાવનગરથી આત્મારામ ભટ્ટ મહારાજશ્રીને મળવા આવ્યા. પ્રાર્થના પ્રવચન બાદ તેમની સાથે વાતો થઈ. તેમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે, લાઠી વિભાગમાં ખાલી પડેલી ધારાસભાની જગ્યાએ પોતે સ્વતંત્ર ઊભા રહેવું. એ ઊભા રહેવા પાછળનો હેતુ એ હતો કે દારૂબંધી, શબ્દરચના, સંતતિનિયમન જેવા સમાજને ઘાતક અનિષ્ટો જનસરકાર દૂર કરતી નથી, તેને માટે અંદર જઈને અવાજ ઉઠાવવો. મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રથમ તો ધારાસભાનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. લોકશાહી છે. તમે કોઈ પક્ષ સભ્ય તરીકે જાઓ કે સ્વતંત્ર જાઓ પણ ધારાસભાગૃહની શિસ્ત પાળવી પડે છે. એને માટે દરેક ધારાસભ્ય વફાદારીના સોગંદ લેવા પડે છે. તમે જે વસ્તુ મૂકશો અને નહીં થાય તો રાજીનામું આપશો. એ બરાબર નહીં થાય. તમને પ્રશ્નની બધી રીતે રજૂઆત કરવામાં સંતોષ નહિ થાય. તમારો અમલ કરવાનો આગ્રહ રહેશે, જે શક્ય નહિ બને. એટલે જે તમારા લોહીમાં નથી તે વસ્તુ શિસ્ત (ધારાસભાની) ત્યાગી નહીં શકો, અંદર જઈને સામાન્ય માણસ થઈ જવાશે. બહાર રહીને જે નૈતિકતા બતાવી શકાશે, તે અંદર જઈને નહીં બતાવી શકાય. વગેરે વાતો થઈ. બીજી આવતી કાલે.
આજે સવારના ફરીથી ગઈકાલની અધૂરી ચર્ચા આગળ ચાલી. મહારાજશ્રીએ કહ્યું : સત્તા દ્વારા કોઈ દિવસ પાયાના પ્રશ્નો હલ થવાના નથી. એને માટે તો જનતાને તૈયાર કરવી જોઈએ. આત્મારામભાઈએ બળવંતભાઈ, નાનાભાઈ ભટ્ટ વગેરેના અભિપ્રાયો કહી સંભળાવ્યા. બળવંતભાઈએ કહ્યું કે, તમારો સ્વભાવ જોતાં ધારાસભામાં કશું વળશે નહિ. બહાર રહો એ જ મારી સલાહ છે. મેં હજુ કંઈ નક્કી કર્યું નથી પણ આપની સાથે વાતચીત થયા પછી આગળ પગલું ભરીશ. બળવંતભાઈએ
સાધુતાની પગદંડી : પુસ્તક – છડું
૮૩