Book Title: Namo Arihantanam Mantra
Author(s): Osho
Publisher: Upnishad Charitable Trust

View full book text
Previous | Next

Page 17
________________ નવકાર મંત્ર ચાદર ખેંચીશ તો ઝાડીમાં લાગેલાં ફૂલ ખરી પડશે, પાંદડાં તૂટશે, કાંટા હશે તો તે પણ તૂટશે. એટલે અર્ધી ચાદર ફાડીને ત્યાં જ છોડી દીધી. પછી શરીર પર જે અર્ધી ચાદર રહી હતી તે પણ ક્યારે સરી પડી એની મહાવીરને ખબર ન પડી. લોકોએ જોયાતો મહાવીર નગ્ન ઊભા હતા. આવું આચરણ સહન કરવાનું લોકો માટે મુશ્કેલ થઈ ગયું. આચરણના રસ્તા ઘણા સૂક્ષ્મ અને મુશ્કેલ છે. આચરણના સંબંધમાં આપણા ખ્યાલ બંધિયારને વારસામાં મળેલા છે. જે લોકો આપણા કહેવા મુજબ કરવા રાજી હોય છે તેઓ લગભગ મુડદાલ લોકો છે. આપણું કહ્યું માનીને આચરણ કરનાર સાધુઓની આપણે ઘણી પૂજા કરી છે. એમાં આચાર્યને નમસ્કાર” ની વાત ક્યાં આવી! તમે એમનું આચરણ નક્કી કરો કે એમનું જ્ઞાન એમનું આચરણ નક્કી કરે? જ્ઞાન એક પરમ સ્વતંત્રતા છે. માટે જે વ્યક્તિ આચાર્યને નમસ્કાર કરે છે તે એવો ભાવકરતી હોવી જોઈએ કે હું નથી જાણતો શું છે જ્ઞાન કે શું છે આચરણ ? પરંતુ જેનું પણ આચરણ એના જ્ઞાનમાંથી પેદા થતું હશે, વહેતું હશે, તેને હું નમસ્કાર કરું છું. આત્રીજા મંત્ર સુધી પણ વાત ઘણી સૂક્ષ્મ છે. ચોથાનમોકારમાં ‘નમો ઉવર્ઝાયાણં' ઉપાધ્યાયને નમસ્કાર. ઉપાધ્યાયનો અર્થ છે, એવી વ્યક્તિ કે જે જ્ઞાન આપે છે, આચરણમાં જ્ઞાન ઉતારે છે અને એ જ્ઞાન વિશે ઉપદેશ પણ આપે છે. તે જાણે છે, જાણીને એવું જીવે છે કે જે એના જ્ઞાનમાંથી પેદા થયું હોય અને જેવું જીવે છે અને જાણે છે તેવું જ બતાવે છે, ઉપદેશે છે. આપણે મૌન તો સમજાતા નથી, આચાર્ય મૌન રહી શકે છે. કારણકે એ જાણે છે કે મારું આચરણ જ પર્યાપ્ત છે, છતાં તમે આચરણ ન સમજી શક્તા હો તો તમે જાણો.” પરંતુ ઉપાધ્યાયતમારા પર વધુ દયાવાન છે. તે તમને શબ્દોમાં કહીને સમજાવે છે. ધર્મની સીડી પર ઊભેલી વ્યક્તિઓ માટે, આ ચાર પ્રકારની જ્ઞાની વ્યક્તિઓની સ્પષ્ટ રેખાઓ આંકી. પરંતુ આ ચાર પ્રકારના જ્ઞાનીઓ સિવાય પણ બીજા જાણકારો હશે જે આ ચાર પ્રકારની બહાર છૂટી જાય છે. એટલે આ મંત્ર બહુ આશ્ચર્ય ઉપજાવે તેવો છે. પાંચમાં ચરણમાં એક સામાન્ય નમસ્કાર છે નમો લોએ સવ્વસાહૂણં, લોકોમાં જે પણ સાધુ છે તે સૌને નમસ્કાર.’ જગતમાં જે પણ સાધુ છે તે સૌને નમસ્કાર. ચાર પ્રકારના શાનીઓ સિવાય, જે અન્ય જ્ઞાની રહી ગયા હોય તેમને નમન કરવાનું અમે ન ચૂકી જઈએ. જીવન ઘણું રહસ્યપૂર્ણ છે. બધી વ્યક્તિઓના ઢાંચા ચોક્કસપણે નક્કી થઈ શક્તા નથી-એટલે જે શેષ રહી ગયા હોય તેમને માત્ર સાધુ કહ્યા કે જે સરળ છે. એટલા સાદા અને સરળ કે ઉપદેશ આપવામાં પણ સંકોચ કરે. એટલા સરળ કે પોતાનું આચરણ પણ છુપાવે. એમને પણ અમારા નમસ્કાર. એટલે આનમસ્કાર અરિહંતો માટે નથી, અરિહંતો પ્રતિ છે. અને આપણે માટે છે. એનમસ્કારનાં જે પરિણામ થશે તે આપણા પર થશે. જે ફળ મળશે તે આપણને જ મળશે. ખરેખર જે કોઈ આ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 210