Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭૦ વર્ષ ૧૩ ૦ અંક ૩૨/૩૩ ૭ તા. ૧૮-૪-૨૦૦૧ વિગેરેએ ભગવાનને જે આર્શીવાદ આપ્યા તેમાં પણ એમ જ કહ્યું છે કે- ‘‘હે વત્સ ! અનંતા શ્રી તીર્થંકર ભગવંતો જે માર્ગ આરાધીને મુકિત પામ્યા તે જ માર્ગ આરાધીને તું પણ મુકિત સાધજે.'' સર્વ શ્રી અરિહંત ભગવંતોએ શ્રી અરિહંત ભગવંતનો જ માર્ગ ાપવાની અને જગતને એ માર્ગ આપવાની મહેનત કરી છે. તો પછી આપણે ભગવાનનો ઉત્સવ ઉજવવો હોય તો તેમાં આપણી રીત ચાલે ? જમાનાની રીત ચાલે ? કે- શ્રી અરિહંત પરમાત્માના માર્ગની રીત જોઈએ ? આપણે શ્રી અરિહંત ભગવંતના માર્ગની રીત ન સમજતા હ .ઈએ તો સમજવા મહેનત કરવી જોઈએ. કોઈપણ ધર્માનુષ્ઠાન શ્રી અરિહંત ભગવંતે ફરમાવેલ વિધિ મુજબ ન કરીએ, આપણને ફાવે તેમ કરીએ, તો તે ધર્માનુષ્ઠાન હકીકતમાં ધર્માનુષ્ઠાન જ ન રહે; એ ધર્માનુષ્ઠાન કરવા છતાં આપણા હાથમાં ધર્મ ન આવે. અમે સાધુઓ ણ પાંચ મહાવ્રત બરાબર પાળતા હોઈએ, સમિતિ આદિનું પાલન પણ બરાબર કરતા હોઈએ, છતાં કો અમે ઉત્સૂત્રભાષણ કરતાં હોઈએ તો અમારામાં સાધુપણું જ ન રહે અને વધુમાં અમને મહાપાપનો બંધ થાય. માટે તમારાથી કે અમારાથી આપણી રીત મુજબ વર્તાય, પરંતુ શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ જ વર્તાય. એ રીતે વર્તવા માટે શ્રી વીતરાગ પરમાત્માની નાજ્ઞાઓ સમજવી પડે. શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા સમજ્યા વિનાના લોકો ભગવાન શ્રી મહાવીરદેવનું નિર્વાણ કલ્યાણક શું ઉજવવાના હતા ? ‘કલ્યાણક' શબ્દ તો હું કહું છું. કહેવાતા ઉજવણીકારો કયાં ‘કલ્યાણક' શબ્દનો પ્રયોગ કરે છે ? અને એ લાકો નિર્વાણ'' નો અર્થ મોક્ષ એ પણ માનવા કયાં તૈયાર છે ? નિર્વાણનો અર્થ મોક્ષ અને તે મોક્ષરૂપ કલ્યાણક તે નિર્વાણ કલ્યાક અને તેનો આ મહોત્સવ.
રાષ્ટ્રીય જૈન ઉજવણીનો વિરોધ કેમ ?
પોતે સીધા યોગ્ય જીવોને મોક્ષમાં નથી મોકલતા, પરંતુ એમના જે સિદ્ધાંતો છે તેનો તેમની આજ્ઞા મુજબ અમલ કરવાની યોગ્ય જીવોને મોક્ષ પ્રાપ્ત થાય છે. ૨૫૦૦ની ઉજવણી પાછળ શું છે ?
આજે કયો ધર્મ ઉંચો છે, અને વિશ્વધર્મ બની શકે તેવો છે, તેની વાતો ચાલે છે. તેમાં આજના બુદ્ધિ વોઓનો એ અભિપ્રાય છે કે જે ધર્મને ઘણા લોકો માને ન જ ધર્મ ઉંચો અને તે ધર્મ વિશ્વ ધર્મ. આ વાત મનાવ્યા પ્રચારવા માટે તો ઘણી યોજનાઓ ઘડાઈ ચૂકી છે, ઘડાઈ રહી છે અને એના એક ફાંટા રૂપે આ ૨૫૦૦ની વાત ઉભી થઈ છે. આજની સરકારને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્રત્યે કંઈ હૈયામાં હેત નથી ભરાઈ ગયું. નિર્વાણ પ્રાપ્તિ અને આત્મકલ્યાણ આદિથી વિપરીત એવા હેતુઓથી ભગવાન શ્રી મહાવીર પરમામાનું નામ લેવાઈ રહ્યું છે. માટે આપણો વિરોધ છે. ‘સવિ જીવ કરું શાસન રસી'' આવી ઉચ્ચત્તમ ભાવના પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે શ્રી અરિહંત પરમાત્માના જીવો શ્રી "અરિહંત પરમાત્મા બન્યા અને આવી ઉચ્ચત્તમ ભાવનાના સ્વામી એવા શ્રી અરિહંત ભગવાના સેવક આપણે. તો આપણને તે શ્રી અરિહંત ભગવંતોનું નામ જગતમાં ગાજતું થતું હોય તો ખરાબ લાગે | કે– સૌથી વધુ આનંદ હોય ? શું આખુ જગત જૈન બને, શ્રી જિનેશ્વર ભગવાન અને શ્રી જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોને ઓળખતું બને તેમાં આપણે રાજી નહિ રાજી જ હોઈએ. પરંતુ બધા જીવોને ભગવાન અને ભગવાનના સિદ્ધાંતો ભગવાનના શાસનની રીત મુજબ ઓળખાવાય તો જ આપણે રાજી બનીએ, એમાં આપણી બુદ્ધિની રીત ન ચાલે.
નિર્વાણ કલ્યાણકની ઉજવણી નિર્વાણ માર્ગની આરાધનાથી જ થાય :
શ્રી અરિહંત પરમાત્માના આત્માએ આખા જગતને “શાસન રસી'' બનાવવાની. ભાવના કરી હતી, નહિ કે ‘‘સ્વ રસી'' બનાવાની. દુઃખી જગતને સુખી બનાવવાનો ઉપાય એજ છે કે જગતને શ્રી વીતરાગ પરમાત્માના શાસનનું રસિક બનાવવું. શ્રી અરિહંત પરમાત્માઓ પોતાના સ્વતંત્ર માર્ગે ચાલ્યા નથી પરંતુ અનંતા શ્રી અરિહંત ભગવંતોએ પ્રરૂપેલા માર્ગે જ ચાલ્યા છે. ભગવાનની દીક્ષાના અવસરે કુલમહત્તરા
તો ભગવાનના નિર્વાણ કલ્યાણક મહોત્સવમાં શું થાય ? નેશનલ પાર્ક - પાણીની ટાંકી વિગેરે થાય કે જેનાથી નિર્વાણ - મોક્ષની પ્રાપ્તિ શીઘ્ર થાય તેવા સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારીત્રની આરાધના થાય ?
એ લોકો તો નિર્વાણનો જે મરણ અર્થ છે તેનો આશ્રય લઈને તેનો મહોત્સવ ઉજવવા માંગે છે. સરકારે ગાંધીજી અને બુદ્ધ આદિની જન્મતિથિ ઉજવી તો પછી ભગવાન શ્રી મહાવીર પરમાત્માનો નિર્વાણ દિન કેમ લીધો ? આમાં પણ ઘણું સમજવા જેવું છે. ક્રમશઃ
૫૧૪