Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન ગાસન (અઠવાડિક)
7
પૂજનશ્રી કહેતા હતા કે
1
મંગળવાર તા. ૧૯-૬-૨૦૦૧
પરિમલ
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા.
પાપના ઉદયથી આવતાં દુઃખ મઝેથી વેઠવા એટલે દુઃખના મૂળને કાપવું. સંસારનું સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમ કે, સંસારના સુખની ઈચ્છા પાપના ઉદયથી થાય તે ઈચ્છા ખુદ પાપ છે અને તેનાથી પાપનો જ બંધ થાય છે.
ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુઃખી.
શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખો જ ગમે તે નાલાયક છે.
સંસારનાં સુખ માટે શ્રી નવકારમંત્ર ગણવો તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે.
ધર્મ એટલે આત્માનો પરિણામ મોક્ષની ઈચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. ધર-બાર, કુટુંબ-પરિવાર, પૈસો-ટકો આત્માના ધર્મપ્રાણને લુંટનારી ચીજો છે.
ધર્મ કરતાં પણ પૈસો જેને વધારે વહાલો લાગે તેને ધર્મની કિંમત હોય જ નહિ.
અનિત્યાદિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને,
ારીર પરનો પ્રેમ જાય તો ખરેખર ધર્મ આવ્યો કહેવાય..
糖g સારો છે જ નહિ, સંસારનો જેને રસ નાસા રાબ થયો સમજો.
અવિ એવું ભયંકર પાપ છે કે જે દુનિયાના સુખ ઉપ૨ જરાય અપ્રીતિ ન થવા દે
આ
રજી. નં. GRJ ૪૧૫
શ્રી ગુણદર્શી
અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કદિ પ્રીતિ થવા ન દે.
અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થોના પ્રેમી બનીએ, તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તો અમે પણ મહાપુરુષોની આશાતના કરનારા છીએ.
સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ- છોડાવાય નહિ. બીજાને સમજાવવાની કોશિશ કરાય, ન સમજ તો ત્યાગ પણ કરાય પણ સિદ્ધાંતની વાતમાં ઘાલમેલ તો કરાય જ નહિ.
–' શાસનના સિદ્ધાંત પ્રેમી જીવો કદી કજીયો કરતા નથી, આવે તો વેઠી લે છે, નવું પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાદન કર્યું નથી. જે કર્યું છે તે જુનાનો ઉદ્ધાર કર્યો છે.
॥
સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દ્રષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર અસાર જ લાગે મોક્ષ તરફ એની દ્રષ્ટિ અવિચલ હોય, ભોગની સાધનામાં એ લેપાય નહિ.
મિથ્યાત્ત્વ મોહની સત્તા ઉઠે તો જ અધ્યાત્મ ભાવ આવે તો જ આત્મા માટે ધર્મ કરવાની વાત ગમે, નહિ તો પૈસા-ટકા, દુનિયાની મોજ મજાદિ માટે જ ર્મ થાય. જેને અધર્મનો ડર ન લાગે, ધર્મનો પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ સાચો ધર્મ કરી શકે નહિ. તે સાધુ તો થાય તો ય સત્યાનાશ કાઢે.
H
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.