Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ
કીર્તિભાઈ માણેકલાલ
દ્રવ્યાનુગ અને તત્વજ્ઞાન
અર્થ માત્રની તલસ્પર્શી સૂક્ષ્મ આલોચનાપૂર્વક તે સર્વના સામાન્ય સ્વરૂપનું, તેના સ્વભાવ અર્થાત તેની પ્રકૃતિનું તેમજ તે તે અર્થ(object)ની અ ન્ય વિશેષતાઓ ( differentia)નું યથાર્થ જ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન (natural science) છે જેને દ્રવ્યાનુયાગ અથવા તત્ત્વજ્ઞાન પણ કહી શકાય છે. તત્ત્વમાં રહેલા તત 'ને અર્થ “તે” થાય છે. “તે ' સર્વનામ છે તેથી તે વસ્તુમાત્રને વાચક છે; અને “તત્ અને ભાવ પામે તેને સ્વભાવ અર્થાત “તત ”નું સ્વત્વ છે તે તત્ત્વ છે, આથી તત્ત્વજ્ઞાન એટલે અર્થમાત્રનું – શેયમાત્રનું પરમાર્થથી જે સ્વરૂપ છે તેનું વિજ્ઞાન. વળી યમાત્રને દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં સમાવેશ થતો હોવાથી કવ્યાદિ ત્રણેનું વિજ્ઞાન પ્રવ્યાનુયોગ પણ તત્વજ્ઞાન છે.
દ્રવ્યાનુગ અઘરા વિષય કેમ લાગે છે?
દ્રવ્યાનુગ માનવામાં આવે છે તે અઘરો વિષય નથી, કારણ કે આખરે તે આપણે જેને રોજ-બ-રોજ અનુભવ કરતાં આવ્યાં છીએ તેનું જ તે વિજ્ઞાન (વિશેષ જ્ઞાન) કરવાનું છે. આમ છતાં પણ ઘણુંને તે આ વિષયમાં પ્રવેશ જ થઈ શકતો નથી. ઘણું તેને વિપરીત પણે ગ્રહણ કરે છે, તે ઘણુંને તે વિજ્ઞાનની યથાર્થતામાં શ્રદ્ધા થતી નથી અને ઘણને તેમાં શંકા-કુશંકાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org