Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૮
અને સાષ્યની પ્રાપ્તિ તા સાધ્યનું અનુસ ́ધાન કરવાથી જ થાય છે.
જૈન સાહિત્ય સમા૨ાહુ – ગુચ્છ ૨
-
પ્રતિક્રમણ એ યૌગિક ક્રિયામાં કરેલી ભૂલેનું પ્રાયશ્રિત્ત છે,
તે જ પ્રમાણે પ્રતિસમય, સ્વરૂપના વિસ્મરણે કરીને સંસાર માં અહમ્-મમત્વ અને માહરૂપ રહેવા દ્વારા ઉપયોગની ભૂલ થયા જ કરે છે, જેના પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણુરૂપે આત્માએ આત્માના પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન અને ધ્યાન ધરવાનું છે.
ધ્યાન અને ધ્યેયના અભેદ સ ધ છે. ધ્યેયને બરાબર સમજ્યા પછી ધર્મધ્યાન કરી તે! ઉપરઉપરના વિકાસ થતા રહેશે.
જીવ સ્થિરતા અને નિત્યતા ઇચ્છે છે. આત્માનું સ્વરૂપ સ્થિર, નિત્ય અને અભેદ છે. ભૌતિક પદાર્થોમાં ભાગ-ઉપભાગની વસ્તુઆમાં નિત્યતા ( ટકાઉપણુ`), સ્થિરતા ( ચાલી ન જાય – બગડી ન જાય અને એવી ને એવી રહે) અને અભેદતા (મારી જ માલિકી રહે.) રહે એવુ· ઇચ્છીએ છીએ, પરંતુ એમ ખન નથી, કારણ કે ભૌતિક ભાગ્ય સામગ્રીઓ પુદ્ગલની બનેલી હેાય છે. અને પુદ્ગલને સ્વભાવ અનિત્ય (પરિવર્તનશીલ) ને અસ્થિર (પરિભ્રમણુશીલ ) છે. વળી પુદ્ગલ પર છે અને ખંડિત તથા પરિચ્છિન્ન સ્વભાવવાળું ઢાવાથી ભેદરૂપ છે. નિત્યતા-સ્થિરતા અને અભેદતા જીવ ઈચ્છે છે, કારણ કે જીવ એના શુદ્ધ સિદ્ધસ્વરૂપમાં નિત્ય છે, સ્થિર છે અને અભેદ-અદ્વૈત છે. માટે જીવ જે ઇચ્છે તે સાચુ જ છે. એ એના સ્વરૂપને જ ઇચ્છે છે પણ તે તેને તેના પોતાના આત્મામાં જ મળે, સ્વમાં જ મળે. પર એવા પુદ્ગલમાં નહિ મળે અને નથી મળતુ માટે જ જીવ સુખી છે તે દુઃખી. થાય છે.
વિશ્વની અંદર ખરેખર આપણે જેવુ નિત્ય-સ્થિર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org