Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
“રત્નાકર પચીશી” : એક અભ્યાસ
૩૨૫ ઉદ્ધાર કરાવી પંદરમા ઉદ્ધારક તરીકે ખ્યાતિ મેળવી. આ જ સમયે શ્રી રત્નાકરસૂરિએ સંધ સમક્ષ ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થના અધિપતિ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ પોતાના ચારિત્રખંડનની આલોયણરૂપે “રત્નાકર પચ્ચીશી” નામના સ્તોત્રની રચના કરી પિતાનું જીવન સાર્થક કરવાની સાથે અન્ય છ માટે પણ પ્રેરણા અને પ્રકાશ આપ્યો.
રત્નાકર પચ્ચીશી” એ અભુત કાવ્ય છે. આ કાવ્યનું પદલાલિત્ય, કવિની કલ્પના, અથગાંભીર્ય, ભાષાની સચોટતા, શબ્દની રચના, રસ-પરિપૂર્ણતા, જેને શ્રવણ કરતાં માથાં ડોલવા લાગે, હૈયાં નાચવા માંડે અને મનડાં મુગ્ધ થઈ જાય, આત્મા-પરમાતમા વચ્ચે લય-લીનતાની કડી બની જાય એવો નૈસર્ગિક સ્તોત્ર-પ્રવાહ આ કાવ્યમાં અખલિતપણે વહે છે. આ કાવ્યમાં કવિએ જે ભાવો દર્શાવ્યા છે તે માનવ માત્રને સ્પર્શે એવા છે. એનાથી સાવધ નહિ રહેનાર માનવી વિકારની સુંવાળી જાળમાં ફસાઈ જઈ છેવટે ભારે મૂંઝવણ અનુભવે છે. એ મૂંઝવણમાંથી ઉગારી લેવાનો ઉપાય કવિએ આ કાવ્યમાં બતાવ્યો છે.
રત્નાકર પચ્ચીશીમાં કવિ પ્રત્યે સહજ માન ઉપજે એવી એમની નિખાલસતા તરવરે છે. ખરું જોતાં કવિની મહત્તા હદયતંત્રીને જગાડવામાં જ નહિ પણ સમવેદનાની એકલય માધુરી પ્રગટાવવામાં છે. એ એકતાન લય પ્રભુ સાથે અંત સાધવામાં સહાયક બને છે.
આત્માના પ્રદેશેપ્રદેશને ઝણઝણાવનાર અને દલિત કરનાર ‘રનાકર પચ્ચીશી માં કવિ કહે છે :
किं बाललीला कलितो न बालः पित्रो पूरो जल्पति निर्विकल्पः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org