Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અનેકાંતદર્શનનું સામાન્ય સ્વરૂપ પરંતુ એક કાળે એક જ પર્યાયવિશેષ પ્રાપ્ત થાય છે તેથી પર્યાયાર્થિક નય ગ્રહીત પર્યાયવિશેષાની અનેકતા દ્રવ્યની કમઅનેકતા છે, અને પર્યાય પણ દ્રવ્યને કમપ્રાપ્ત ધર્મ હેવાથી અને અનેકાંતમાં અંતનો અર્થ પણ ધર્મ હોવાથી દ્રવ્ય ક્રમ પૂર્વક પ્રાપ્ત થતા તેના અનેક પર્યાયને આત્મા છે. આથી દ્રવ્યમાં ક્રમ અનેકાંત સિદ્ધ થાય છે. વળી સર્વ પર્યાને તેમજ તે પર્યાના આધારભૂત દ્રવ્યને પ્રદેશપિંડ તો એકને એક જ છે દ્રવ્ય અને પર્યાય તેમજ દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયે કંઈ પૃથફ પૃથફ વસ્તુઓ નથી છતાં પણ પર્યાય-પર્યાયમાં વિશેષતા હેવાથી ભેદ તો છે. આ પ્રકારના ભેદને અન્યત્વ ભેદ કહેવાય છે. આથી પર્યાયાર્થિક નય ગ્રહીત દ્રવ્યના પર્યાયવિશેષની અનેતા દ્રવ્યમાં અન્યત્વભેદગામી ક્રમ અનેકાંતની સિદ્ધિ કરે છે આથી વિપરીત વ્યવહારનય ગ્રહીત અનેકતા પૃથફત્વભેદગામી અનેકતા છે, કારણ કે સંગ્રહનય ગ્રહીત તિર્યફ સામાન્યના વ્યવહારનય અનેક ભેદ પ્રાપ્ત કરે છે તે સર્વે ભેદ યુગપત વર્તે છે અર્થાત્ તે સર્વ ભિન્ન ભિન્ન દેશવર્તી સમકાળ અવસ્થિત છે અને તેથી તે સર્વ ભેદ જેને વ્યતિરેક વિશેષ કહેવાય છે. તે પૃથફ પૃથફ છે, કારણ કે તે સર્વેમાં દેશભેદ છે યાને તે વ્યતિરેકવિશેષ ભિન્ન ભિન્ન સ્વક્ષેત્રરૂપ દેશમાં રહે છે આથી વ્યવહાર નય ગ્રહીત અનેકતા તિર્યફ સામાન્યમાં પૃથકત્વ ભેગામી અક્રમ અનેકાંત સિદ્ધ કરે છે. વો ક્રમ અનેકાંતને એક બીજે પણ ભેદ છે તેને વિચાર કરીએ.
દ્રવ્ય સ્વયં પોતાના સભાવી અનેક ગુણેને આધાર છે. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ ગુણે યુગપત્ વતે છે તેવી જ રીતે છવદ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ યુગપત, વર્તે છે. આ બધા જ ગુણે પિતાના દ્રવ્ય સાથે તાદામ્ય (દેશભેદ રહિત) સંબંધથી રહ્યા છે. તે સર્વે સજાતીય ગુણામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org