Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છર આત્મસુખ દવા માટે નિર્વિકલ્પ-પ્રશાંત અને રવરૂપમાં સદાકાર થવાનું છે, લયલીન બનવાનું છે, અને ત્યારે જ આત્મસુખ વેદાય છે.
સ્વરૂપને સમજવાનું છે સત્સંગથી, અને સ્વભાવમાં રહેતાં શીખવાનું છે સ્વયંથી. સ્વભાવમાં રહેતાં થવું એ જ આત્મસાધના – અધ્યાત્મસાધના છે. * આત્માની સાધના કરવાનું નજીકમાં નજીક સાધન કયું? વર્તમાનકાળમાં આપણું આત્મામાંથી પ્રતિક્ષણે ઊઠત આપણો જ્ઞાનદર્શનને ઉપયોગ એ આપણું નજીકમાં નજીક રહેલ સાધના માટેનું સ્વને આધીન એવું સ્વાધીન સાધન છે. " - આત્માનો ઉપયોગ જ્યાંથી નીકળે છે ત્યાંથી તેને બહાર ન જવા દેતાં આમાના પિતાના જ પ્રદેશો ઉપર એને સ્થાપીને સ્થિર થવું જોઈએ. - છે જે ઇચ્છું તે મારું સ્વરૂપ છે. દશ્ય જેને હું જોઉં છું તે મારું સ્વરૂપ નથી. જયાંથી ભાવ નીકળે છે ત્યાં મારું સ્વરૂપ છે. દશ્યને હું જે ભાવે નિહાળું છું તે ભાવ મારો છે, દસ્યને નથી. મારો ભાવ દશ્ય પરત્વે પણ નિત્યતાને છે – સુન્દરતાને છે – સત્યતાને છે – પ્રકાશને છે – સુખને છે. એ ભાવ મારું સ્વરૂપ છે, દશ્યનું નહિ. દસ્થ પ્રતિ અવિવેકથી જે સચિદાનંદને ભાવ થઈ ગયેલ છે. એ જ જીવની અવિદ્યા-અજ્ઞાન-ભૂલ-ભ્રમ-મિથ્યાત્વ છે, જે જીવ ઉપર આવરણ ઊભું કરે છે. આ મિથ્યાત્વને ઉલટાવવાની ક્રિયા એટલે કે દસ્થ પ્રતિ થતા સચ્ચિદાનંદ ભાવને ઉલટાવી સ્વ પ્રતિ એટલે કે દ્રષ્ટા પ્રતિ દષ્ટિપાત અર્થાત સ્વ પ્રતિસ્વરૂપ પ્રતિને કાનો દષ્ટિપાત. સચ્ચિદાનંદ ભાવ– સ્વરૂપદષ્ટિ તે જ સમ્યગદષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org