Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૮૬
જૈન સાહિત્ય સમારાહ – ગુચ્છ ૨
w
વળી સૌંગ્રહનયની અભેદ દૃષ્ટિમાં સમકાળ અવસ્થિત ભિન્ન ભિન્ન દેશમાં અર્થાત ભિન્ન ભિન્ન અનેક વસ્તુના સ્વક્ષેત્રરૂપ પ્રદેશદળમાં એકાકાર બુદ્ધિ થાય છે તેમાં કારણભૂત તે અનેક વસ્તુ યા દેશમાં અનુગત કાઈ સામાન્ય ગુણુકૃત સદશતા હેતુ છે. આથી સંગ્રહનય જે સામાન્યને વિષય કરે છે તે સદશ સામાન્ય વા સાદૃશ્ય સામાન્ય છે જે માટે જૈનદર્શનમાં વધુ પ્રચલિત સંજ્ઞા તિયક સામાન્ય છે. આ બેઉ પ્રકારના સામાન્યમાં જે ભેદ છે તે ખરાબર સમજી લેવા જોઈએ. કાળભેદે ઉત્પન્ન થતા દ્રવ્યના જે પર્યાયવિશેષામાં અનુગતાકાર પ્રતીતિ અર્થાત્ તદ્ભાવ બુદ્ધિ થાય છે તેમાં હેતુ ઊર્ધ્વતા સામાન્ય છે અને સમકાળ અવસ્થિત ભિન્ન ભિન્ન અનેક દેશવિશેષા(વ્યતિરેક વિશેષા)માં એકાકાર પ્રતીતિ થાય છે તેમાં જે હેતુ છે તે તિ' ક્ સામાન્ય છે. ટૂંકમાં દેશભેદે જ્યાં એકાકાર પ્રતીતિ થાય ત્યાં તિય ક્ સામાન્ય અને કાળભેદે અનુગતાકાર પ્રતીતિ થાય ત્યાં ઊર્ધ્વતા સામાન્ય કહેવાય. આ પૂર્વના ફકરામાં કહ્યું છે તેમ સામાન્ય સત્તા અને વિશેષ સત્તામાંથી કાઈ એક સત્તા ત માનતાં જે દોષો પ્રાપ્ત થાય છે તે જ દાષા તિક્ સામાન્ય અને ઊર્ધ્વતા સામાન્યમાંથી કાઈ એકને ન માનતાં પ્રાપ્ત થાય છે.
વિશેષના બે ભેદ અને અનેકાંત
જો એ પ્રકારની અભેદ દૃષ્ટિમાં ઉપલબ્ધ સામાન્યના બે ભેદ છે તા તે બેઉ પ્રકારની અભેદ દૃષ્ટિની વિરાધી બે પ્રકારની ભેદદૃષ્ટિમાં પણ એ પ્રકારના વિશેષ ઉપલબ્ધ થાય તે સ્વાભાવિક છે. ઊર્ધ્વતા સામાન્યના અર્થાત્ એક જ દ્રવ્યના કાળક્રમથી પ્રાપ્ત થતા ભિન્ન ભિન્ન પર્યાય જ જેના વિષય છે પરતુ તે સર્વ પર્યંચાના આધારભૂત જે .એક સામાન્ય દ્રવ્ય છે તે જે નચમાં ઉપલબ્ધ થતુ ં નથી તે પર્યાયાર્થિક નયની દૃષ્ટિમાં ઉપલબ્ધ થતાં ભિન્ન ભિન્ન અનેક પર્યાયવિશેષો યુગપત્ યાને અક્રમપૂવક પ્રાપ્ત થતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org