Book Title: Jain Sahitya Samaroha Guchha 2
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધ્યેય, ધ્યાન, ધ્યાતા [ થાડુંક ચિંતન ]
૫, પનાલાલ જગજીવનદાસ ગાંધી
ધ્યાન એ જ વીશક્તિ છે. દઢતા, એકાગ્રતા, ટેક એ વી તરાયના ક્ષયાપશમભાવ છે. ધ્યાનમાં એકાગ્રતા મુખ્ય છે.
પરને જાણવુ નહિ. પરતેા ઉપયોગ કરવા નહિ અને સ્વને જેવા જાણ્યા છે તેવા વૈવા તેનું નામ જ્યાન છે.
દેહાદિ ભાવા છેડી દીધા હાય છે, અને પરને જાણવાનું ત્યજી દીધેલ છે તે અપેક્ષાએ ધ્યાન અક્રિયાત્મક એટલે કે અક્રિય છે. છતાં સ્વ-સ્વરૂપ વેદન અંગે સત્તાગત કેવલજ્ઞાનને નિરાવરણુ કરવાની અપેક્ષાએ ધ્યાન ક્રિયાત્મક એટલે કે સક્રિય પણ છે. ટૂંકમાં, પરમાં અક્રિય અને સ્વમાં સક્રિય એ જ ધ્યાન.
નિર્વિકલ્પ ધ્યાન એટલે ન જાવું, ન ઇચ્છવું, ન વિચારવું, કે ન સ્મરણ કરવું. અર્થાત્ Not going to know, Not to wish, Not to think, Not to remember.
મન, વચન અને કાયા એ ત્રણે ચાગની સ્થિરતા એ જ
ધ્યાન.
જેવું જીવનુ શુદ્ધ સ્વરૂપ છે તેવુ ધ્યાન કરી શકાય છે. જેવું જીવતુ શુદ્ધ સ્વરૂપ છે તેવુ" ધ્યાન થાય તા સ્વરૂપસ્થિરતા આવે અને પછી ધ્યાન હટતાં બાકી સ્વરૂપ નિય સ્થિર થઈ ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org