________________
૧૦
અણસમુહ અને વર્ણાદિની સમાનતા પણ હોઈ શકે છે. ઉપરોક્ત રીતની અસમાનતામાં પણ પુગલત્વ તે શાશ્વત છે, નિત્ય છે. પરંતુ તેની વિવિધતા અનિત્ય છે. કારણ કે વિવિધતા એ પુદ્ગલની અવસ્થા સૂચક છે. પુદ્ગલત્ત્વ તે દ્રવ્ય છે. વર્ણાદિ તે પુદ્ગલના ગુણ સ્વરૂપ છે. અને વિવિધ અવસ્થા તે પર્યાય કહેવાય છે. દ્રવ્ય તે શાશ્વત છે, અને પર્યાય તે અશાશ્વત છે. પર્યાય માત્ર પરિવર્તનશીલ છે. અશુભ પર્યાય શુભમાં અને શુભ પર્યાય અશુભમાં બદલાવી શકાય છે. પર્યાયની શુભતા અને અશુભતા પણ કાયમી નથી. એટલે જ આ વિશ્વરચનામાં કશુંય એકાંતે નથી સુંદર કે નથી અસુંદર. નથી સુધી કે નથી દુર્ગધી. આ દુનિયા એટલે પરમાણુએના જથ્થાનું વિવિધરંગી પરિવર્તન. તે પછી પગલિક અનુકુળતા કે પ્રતિકુળતામાં રાગદ્વેષ શે?
ભૂતકાળમાં જેને ભારતના કોઈ પણ જેનેતર દર્શનકારે પગલપદાર્થ સ્વરૂપે કદાપી નહિં સ્વીકારેલ તે પણ આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં બુદ્ધિગમ્ય રીતે પદાર્થ સ્વરૂપ સાબિત થઈ ચૂકેલ એવા શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર, મને વિચાર ઈત્યાદિ વિવિધ પુગલ પર્યાનું તથા પરમાણુ, સ્કંધ, પુદુંગલની સંઘાત અને વિઘાતની રીતિ, રૂપ-રસ–ગંધ–સ્પર્શ -પર્યાય-વર્ગણ-કર્મવર્ગણ-ગતિકિયા-ગતિ સંબંધી અન્ય મર્યાદાઓ, ઉત્કૃષ્ટશક્તિ, સ્થૂલ અને સૂક્ષમતાની દષ્ટિએ પુદ્ગલના ભેદ-પ્રભેદ, સંસ્થાન, પરમાણુની સૂમ પરિણામાવગાહન, પરમાણુની સૂક્ષમતા, ઈત્યાદિ પુદ્ગલ પદાર્થને લગતી હકિકતનું