________________
આપ પ્રેરાશે. પરંતુ એ જેમ સગવડો અને સાધનોની વૃદ્ધિ કરતું જાય છે, તેમ તેમ માનવીની જરૂરિયાતને પણ વધારવાના પ્રચાર દ્વારા માનવીને તૃષ્ણની જ્વાલાઓમાં હોમતું જાય છે, એનું એને ભાન નથી. વિજ્ઞાન પર જ આધારિત સમાજનાં પ્રધાન લક્ષણો તે અશ્રદ્ધા અને નિરાત્મવાદ છે. વિજ્ઞાનની નજર સમક્ષ જે સાધ્ય છે, તે સાધ્યની સિદ્ધિ અર્થે ગમેતેવાં હિંસક સાધનને ઉપગ પણ એને સ્વીકાર્ય છે.
આધુનિક વિજ્ઞાનના ઉદય પહેલાં આપણા ભારત દેશમાં ધર્મની આસ્થાએ જીવનમાં કેટલાંક આવકારદાયક મૂલ્ય પ્રેર્યા હતાં. તે સમયના સમાજમાં દુરાચાર કે પાખંડ બિલકુલ ન હતાં, એવું નહિં. પરંતુ તેના પર આડક્તરે અંકુશ હતો. દુરાચારીએ કે અધમીઓને સમાજમાં દરજજો ન હતો. દુરાચારીઓ અને અધમઓના દુરાચાર કે અર્ધમને સમાજમાં કઈ વધાવી લેતું નહિ. તેમની ઈજજત થતી નહિં. જ્યારે આધુનિક નવા માપદંડ પ્રમાણે કઈ દુરાચારી જ નથી. ભૂલ એ વૃત્તિનું કઈ ખલન જ છે. વૃત્તિને પ્રાકૃતિક આવેગ એ જ મહત્વનું છે. તેના પર સમાજના યા કુટુંબના જે રંગોને ઢેળ ચડ્યો છે, અને જેને આપણે સંસ્કાર કહીયે છીએ, તેને નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવામાં આવે છે. આવા શિસ્ત અને સંયમ સામે બંડ પિકારનાર તે સાહિત્યમાં પ્રગતિશીલ અને સમાજમાં ક્રાંતિકારી કહેવાય છે. આ નવા આગ્રહથી સમાજનાં બંધને શિથિલ થયાં છે. સમાજ વધારેને વધારે અસ્વસ્થ બન્યું છે. તે નજરે જોવાતું હોવા છતાં કબુલાતું