________________
૧૨૦
સંત પુરૂષને ચરણસ્પર્શ તે ભક્તિના લીધે સમજ. અહિં તે વસ્તુસ્થિતિને વિચાર થાય છે, માટે મેહની ઉત્કટતાને લીધે કે ભક્તિને લીધે થતાં સ્પર્શથી ઉપર મુજબ કહેલા શુભાશુભપણુના લક્ષણમાં દોષ સમજે નહિ. અવયમાં આ પ્રમાણે શુભાશુભપણના પ્રેરક તે અનુક્રમે શુભ અને અશુભ નામકર્મ છે. આ બન્ને કર્મો તે અવયને સારા નરસાં ગણવે છે. આમાં કંઈપણ યુગલનું પરિણામ નથી. પરંતુ અંગે પાંગ નામકર્મ દ્વારા પરિણત અંગે પગમાં શુભાશુભપણું ગણાતું હોવાથી અંગે પાંગ નામકર્મની માફક આ બને (શુભઅશુભ નામકર્મ) પ્રકૃતિઓને પણ પુદ્ગલ વિપાકી કહેવાય છે.
દરેક જીવ ઉત્પન્ન થતાંની સાથે જ શરીર નામ કર્મના ઉદયે સ્વશરીર એગ્ય શરીર વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ અને ઉપર જણાવેલ અન્ય પુદ્ગલ વિપાકી કર્મ પ્રકૃતિઓ વડે પરિણમન કરવા દ્વારા પોતપોતાનું સ્વતંત્ર એક શરીર તૈયાર કરે છે. આવી રીતે જે કર્મના ઉદયે એક એક જીવને ભિન્નભિન્ન શરીર પ્રાપ્ત થાય તે કર્મને “પ્રત્યેક નામ કમ” કહેવાય છે. પરંતુ પ્રત્યેક નામ કર્મથી વિપરીત એક “સાધારણ નામ કમ” નામે એવું કર્મ છે કે તે કર્મ દ્વારા અનંતા જી વચ્ચે માત્ર એક જ શરીરની નિષ્પત્તિ થાય છે.
આ સાધારણ નામ કર્મના ઉદયવાળા અનંતા છે તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે અને એક સાથે જ તેના શરીરની નિષ્પત્તિ