________________
૧૩૪ આત્માન અર્થાત્ શરીરમાં આત્માનો અને એક જીવમાં બીજા જીવોને અવગાહ તે સંક્રાન્ત જ હોય છે અને તેથી જ શરીરમાં રહેલે આત્મા ક્યાંય ભિન્ન દેખાતો નથી.
નિગોદ–શરીરમાં એક જીવ સંક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદામ્ય પણે રહેલું હોય છે. તેમ બીજે જીવ પણ તેમાં સંક્રમીને રહેલું હોય છે. તેવી રીતે ત્રીજે જીવ, તેવી જ રીતે જીવ એમ યાવત સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ અને અનન્ત છે પણ પરસ્પર એક બીજામાં પ્રવેશ કરી સંક્રમીને રહે છે. જેથી એક શરીરમાં જુદે જુદે સ્થાને અથવા જુદા જુદે અવગાહ રેકીને રહેલા હોય એમ નથી. પરંતુ સવે એક જ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હોય છે. દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ ઓરડાને મધ્યભાગ પૂરાય છે તેમ તેમ ઓરડામાં બીજા સેંકડો દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે. દષ્ટાન્તથી એક શરીરમાં અનન્ત ની પરસ્પર પ્રવેશ કરીને રહેવાની હકિક્ત અતિ સરલપણે સમજી શકાય છે. આવું અનંત જી વચ્ચે તૈયાર થયેલું એક શરીર તે સાધારણ (સહિયારું) શરીર કહેવાય છે અને તે અનંતા જના સાધારણ નામ કર્મના ઉદયે આવા સાધારણ (સહિયારા) શરીરની પ્રાપ્તિ તે અનંતા જી વચ્ચે થાય છે. આ સાધારણુ શરીરધારી જીવને નિગોદ, અનંતકાય કે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે.
માત્ર એક જ શરીરની રચનામાં અનંતા છોની પુદુ