Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 158
________________ ૩૩ અને સંકાન્ત અવગાહના અંગે એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ પ્રવેશતું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પુદ્ગલમાં પુગલે પરસ્પર સર્વાશે પ્રવેશ કરીને રહી શકે છે એ વસ્તુ અતિ સ્પષ્ટપણે સમજાવતાં શાસ્ત્રકારે કહે છે કે–એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજે પરમાણુ, તેમાં જ ચેથ, પાંચમો, સંખ્યાત, યાવત્ અનન્ત પરમાશુઓ તે એક વિવક્ષિત પરમાણુમાં પ્રવેશ કરી શકે છે અને તેથી જ અનન્ત પ્રદેશ સ્કંધેની પણ એક આકાશ પ્રદેશ જેટલી અવગાહના સિદ્ધ થઈ શકે છે. | શ્રી લેકપ્રકાશ તથા શ્રી ભગવતી સૂત્રને ૧૩મા શતકના થિા ઉદ્દેશાની વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે-ઔષધિના સામર્થ્યથી એક કર્ષ (તાલા) પારામાં ૧૦૦ કર્ષ (તેલા) સોનું પ્રવેશ કરે છે છતાં તે એક કર્ણ પારે વજનમાં વધત નથી. વળી ઔષધિના સામર્થ્યથી ૧૦૦ કર્વ સોનું અને એક કર્ણ પારે બન્ને જુદાં પણ પડી શકે છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે છે તે નિગોદ અથવા બટાટા વિગેરે કંદમૂળમાં અરૂપી એવા અનંતા જ પિતપોતાની જુદી અવગાહના નહિ રેતાં એક જ અવગાહમાં સર્વે પરસ્પર એકબીજામાં સંક્રમીને (પ્રવેશ કરીને રહી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે દ્રવ્યોના પરિણામસ્વભાવ વિચિત્ર હોય છે. હવે પુદ્ગલમાં પુદ્ગલને અવગાહ તે સંક્રાંત અને અસંક્રાંત એમ બન્ને પ્રકાર હોય છે. પરંતુ પુદ્ગલમાં

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174