Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 168
________________ ૧૪૩ મુક્ત બની નિરંજન નિરાકાર રૂપ સ્વદશાને પ્રાપ્ત કરે છે. તેમ છતાં જગતમાંથી સર્વ જી એ દશાને પ્રાપ્ત કરી લે અને જગત સર્વથા જીવ વિનાનું બની જાય. એવું તો ક્યારેય બન્યું પણ નથી અને બનવાનું પણ નથી. એટલે સંસારરૂપી આ કારખાનામાં શરીરરૂપ કાર્ય બનાવવાનો પ્રવાહ તો સદાને માટે ચાલુ જ હોય છે. એટલે સમગ્ર સંસારી જીની અપેક્ષાએ સમગ્ર જગતને કયારે ય પણ પ્રલય થાય એ માન્યતા જૈનદર્શનકાને માન્ય નથી. વળી કર્મરહિત જીવે કદાપિ શરીર ધારણ કરે નહિ. જડના બીલકુલ સંગ વિનાના જીવને ફરીથી જડને સંગ કરાવવાની કોઈની તાકાત નથી. જે જીવને જડને સંગ હોય તેને જ બીજી જડ વસ્તુ વળગી શકે. એટલે સમગ્ર જગતના પુનઃ ઉત્પાદનની વાત પણ મિથ્યા છે. આ રીતે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતો અસંભવિત જ છે. આ રીતે પુગલ વિપાકી કર્મ પ્રકૃતિએ દ્વારા થતી શરીર રચનાદિનું સ્વરૂપ આપણે વિચાર્યું. બુદ્ધિમાન પુરૂષ આ ઉપરથી સૃષ્ટિ રચનાનું સ્વરૂપ સરલતાથી સમજી શકશે.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174