Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 135
________________ શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વર્ગણ ગ્રહણ કરવાને હક્ક ચાલુ રહે છે. અહીં સમજવું જરૂરી છે કે-પાંચ પ્રકારના શરીરે પૈકી મનુષ્ય અને તિર્યંચને ગ્ય મુખ્યપણે ઔદારિક શરીર છે અને દેવ તથા નારકને યોગ્ય વૈકિય શરીર છે. એટલે મનુષ્ય અને તિર્યંચને દારિક શરીર બનાવવા માટે જીવે પૂર્વે બાંધેલું “ઔદારિક શરીર નામ કર્મ” તે દારિક શરીરપણે ગ્રહણ ગ્ય જે દારિક જાતની પુદ્ગલ વર્ગણું છે, તેમાંથી તે વર્ગણ મેળવવાને હક્ક આપે છે અને દેવ તથા નારકને વૈકિય શરીર બનાવવા માટે તે જીવે પૂર્વે બાંધેલું વૈકિય શરીર નામકર્મ” વૈકિય જાતિની પુદ્ગલ વર્ગણ મેળવવાને હકક આપે છે. શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવામાં જીવને કાગ (શરીરને વ્યાપાર) છે, તર્યોગ્ય તે કાયયોગ તે શરીર તૈયાર થયા પછી હોય છે. તૈયાર થયેલ તે કાયયોગ દ્વારા તે તે શરીર ટકી રહે ત્યાં સુધી તે જંદગી પર્યત તે શરીરને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ ચાલુ જ હેય છે. પરંતુ ઉત્પતિના પ્રથમ સમયે કંઈ તદ્ભવ ગ્ય શરીર તૈયાર હોતું નથી. તે શરીર તે, તે શરીર યોગ્ય પુદ્ગલના ગ્રહણ અને પરિણમનથી તૈયાર થાય છે. એટલે ઉત્પતિના પ્રથમ સમયે ગ્રહણ કરાતાં શરીરનાં પુદ્ગલેને જીવ અનાદિકાળથી પિતાના આત્મા સાથે સંયુક્ત થઈ રહેલ તૈજસ તથા કામણ શરીરના સંગે ગ્રહણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174