________________
૧૧૨
નાને અનુકૂળ કરાયેલા માટીને પિંડાઓ જ ઉપયોગી થાય છે, તેમ શરીર બનાવવામાં પણ શરીર રચનાને અનુકૂલ પિંડ રૂપે બનેલી પુદ્ગલ વર્ગણ જ ઉપયોગી થાય છે.
અમુક પ્રમાણમાં જ લંબાઈજાડાઈ આદિ નિશ્ચિત પ્રમાણુવાળા દારિકાદિ શરીરની રચના માટે તે તે શરીરને અનુસરતી પુદ્ગલ વર્ગણાના સમૂહ વિશેષની રચનાની પણ આવશ્યક્તા રહે છે અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. આ સંઘાત કરી આપનાર એક પ્રકારનું નામકર્મ જીવે પૂર્વે મેળવેલું હોય છે. તે કર્મ તે “સંઘાતન નામ કર્મ” કહેવાય છે. એટલે સંઘાતન નામકર્મ જીવને વર્ગણુના સંઘાત પામેલા સ્કધ અપાવે છે. તે પણ પાંચ પ્રકારના શરીર મુજબ પાંચ પ્રકારે છે.
સંઘાતન નામકર્મ તથા શરીર નામકર્મના બળથી. સંઘાત પામેલી સ્વયોગ્ય શરીરની પુદ્ગલ વર્ગણા જીવ પ્રથમ સમયે લે છે. આનું નામ આહાર કહેવાય છે. જીવને તે ભાગ્ય શરીર જ્યાં સુધી કાયમ રહે છે ત્યાં સુધી આ વર્ગણ મળવા રૂપ આહાર તેને મળ્યા જ કરે છે. પણ તે વર્ગણ રૂપ આહાર ચાલુ રહે, તેમાં ગ્રહણ કરેલી અને ગ્રહણ કરાતી વર્ગણાના ધો પરસ્પર એક રચનારૂપે મળી જવા જોઈએ. જેમ તૈયાર થતા મકાનમાં વપરાતી ઈંટોના રજકણે અંદરોઅંદર સંઘાતીભૂત હોય છે, પરંતુ તેથી કરીને ઈટ ઉપર ઇંટો ગોઠવી દેવાથી મકાનની મજબૂતી થતી. નથી. માટે તેને ચૂના કે માટીથી પરસ્પર ચડવી પડે છે.