________________
૧૧૭
બધા
કર્મા
શપષ્ટ *
ગતિપણું આપણે સમજી શક્ત નહિં. જેથી દરેક સંસારી જીનું શરીર એક જેવું અને એક સરખું દેખાત. પ્રગ પરિણમનમાં થતી ભિન્નતાના હિસાબે જ શરીરના અવયવની રચનામાં ભિન્નતા છે અને શરીરના અવયવોની રચનામાં ભિન્નતાના હિસાબે જ સંસારી જીના ગતિ અને જાતિને અનુસરી કહેવાતા ભેદોને આપણને ખ્યાલ પેદા થાય છે. આ બધાનું મુખ્ય કારણ નિર્માણ નામકર્મ છે. એટલે ગ્રહણ કરનાર જીના કર્માનુસાર–ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. અહીં વળી પણ આપણે સ્પષ્ટ કરી જઈએ કે–શરીર નામકર્મ અને સંઘતન નામકર્મ દ્વારા ઔદારિકાદિ વર્ગણાનાં સંઘાત પામેલાં પુગલોને પરસ્પર એકમેક સંબંધવાળાં બનાવી છે જે શરીર નામકર્મના ઉદયથી તે તે શરીરપણે પરિણામ પામેલા યુગલોને અંગોપાંગ નામકર્મ દ્વારા અંગ અને ઉપાંગ અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણમન થવામાં તથા તે અવયવો જે સ્થળે અને જેવા સ્વરૂપે જોઈએ તે સ્થળ અને સ્વરૂપની રચના થવામાં નિર્માણ નામકર્મ કારણરૂપ છે.
ઉપરોક્ત કર્મ દ્વારા પુદ્ગલેનું ગ્રહણ અને પરિણમન થવા વડે તૈયાર થતા શરીરમાં અમુક અમુક પ્રકારે હાડની મજબૂતી થવા રૂપ પરિણામની પણ આવશ્યકતા રહે છે. જેટલા પ્રમાણમાં હાડની મજબૂતી વધુ હોય તેટલા પ્રમાણમાં શરીરને વ્યાઘાત ઓછો લાગે છે. આપણે શાસ્ત્રો દ્વારા સાંભછીયે છીયે કે–તીર્થકર જેવા મહાપુરૂષોના શરીરને અનેક