________________
૫૯
જીવની સાથે સંબંધિત બની જઈ કર્મઅવસ્થાને ધારણ કરતાં તે રજકણ સમૂહમાં પ્રકૃતિ–સ્થિતિ-રસ અને પ્રદેશનું સર્જન, બંધ સમયે જ થતું રહે છે. એટલે જ તે મુજબ બંધ ચાર પ્રકારે કહ્યો છે.
ત્યારબાદ જીવને શુભ સંયોગની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પુણ્યદય અને અશુભ સંગેની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પાપોદય કહેવાય છે. ૧૫૮ પ્રકારની સંજ્ઞાધારક કર્મઅણુ સમૂહમાં કઈ સંજ્ઞાધારક કર્મને ઉદય પુણ્ય સ્વરૂપે અને કઈ સંસાધારક કર્મને ઉદય પાપ સ્વરૂપે વર્તે છે અને તે.
ક્વા કેવા પ્રકારના શુભાશુભ સંગેની પ્રાપ્તિ કરાવે છે? તેની સમજ કર્મવિપાક નામે પ્રથમ કર્મગ્રંથથી સમજી લેવી.
આ રીતે કર્મબંધરૂપે કર્મને સંબંધ અને કર્મોદયસ્વરૂપે તે કર્મને છૂટકારે, પ્રતિસમય ચાલુ જ છે. આ કર્મોને કારણે જ શરીરપ્રાપ્તિ, વાચાશક્તિ, વિચારશક્તિ, શ્વાસોચ્છવાસ લેવા મૂકવાની શક્તિ, જન્મ-મરણ-સુખ-દુઃખ, રાગ અને દ્વેષ, અવિવેક, અજ્ઞાન, વગેરેને ધારક આત્મા. બનતા જ રહે છે.
જે આત્મા કર્મસંબંધથી બિલકુલ રહિત છે, તે આત્મા. શરીરાદિ એગ્ય પગલેને ગ્રહણ કરવામાં અને તે તે રૂપે પરિણામ પમાડવામાં પ્રયત્નશીલ બનતું જ નથી. કારણ કે તેમને જન્મ-મરણ નથી. એટલે શરીર, ઉચ્છવાસ, વાણી કે વિચારની પણ તેને જરૂર નથી. એ બધી જંજાળ નહિ હવાથી આપણે અનુભવીએ છીએ એવા કોઈ સુખદુઃખ.