________________
અને છે? ત્યારબાદ અલ્પ સમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મ, આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે બને છે? અને અને અઘાતી કર્મો સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજરઅમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે? આ બધી હકિત, સ્પષ્ટ અને હદયગમ્ય રીતે જૈનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી.
જૈનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્મના મૂળ આઠ ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદદ્વારા કરેલ કર્મની વિવિધતાનું વગીકરણ એટલું બધું સુંદર છે કે તેના દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસે જૈનદર્શનમાં બતાવેલ કર્મતત્વના જ વિજ્ઞાન દ્વારા થઈ શકે છે.
કેવા પ્રકારનું કર્મ વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલે ટાઈમ આત્માની સાથે ટકી શકે? કર્મ બંધ થયા પછી તે વિવક્ષિતકર્મ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે ? વિપાકના નિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ? કંઈ જાતના આત્મપરિણામથી આવે પ થઈ શકે? બંધસમયે વિવક્ષિત કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે સ્વભાવને પણ પલટો વિપાક સમયે થઈ શકે કે કેમ? સ્વભાવપલટો થઈ શક્ત હોય તે કેવી રીતે થઈ શકે? કર્મને વિપાક રોકી શકાય કે કેમ? રિકી શકાતે હોય તે કેવા આત્મ પરિણામથી રોકી શકાય? દરેક પ્રકારના કર્મને વિપાક રેકી શકાય કે અમુકનો જ વિપાક રોકી શકાય? જીવ પિતાની વીર્ય–શક્તિના આવિ