________________
૧૦૬
સ્વરૂપે અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની, ભવની કે બાહ્ય જડસામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કર્મપ્રકૃતિને જીવવિપાકી કહેવાય છે. તે પ્રકૃતિએ નીચે મુજબ છે. " જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય , વેદનીય ૨, મોહ નયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ચાર, જાતિ પાંચ, વિહાગતિ બે, શ્વાચ્છાસ નામ કર્મ–૧, તીર્થકર નામ કર્મ–૧, ત્રસ–૧, બાદર-૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય-૧, સુસ્વર-૧, આય-૧, યશ-૧, સ્થાવર-૧ સૂક્ષ્મ–૧, અપર્યાપ્ત–૧, દૌર્ભાગ્ય–૧ દુઃસ્વર-૧, અનાદેય-૧, અને અપયશ-૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે.
હવે પ્રથમ ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિએ કઈ છે, તે વિચારી પછી પુદ્ગલ વિપાકીની હકીક્ત વિચારીશું. - ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદય થતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનું છે. દેવાનું પૂવ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂવી અને નરકાસુપૂવી એ ચારે આનુપૂવક ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે. - ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અમુક ભવમાં જ