________________
પાંચ પ્રકારે ભેદ પરિણામ. (૫) વર્ણમાં પલટો થવા સ્વરૂપ પાંચ પ્રકારને વર્ણપરિણામ. (૬) ગંધમાં પલટો થવા સ્વરૂપ બે પ્રકારનો ગંધપરિણામ. (૭) રસમાં પલટો થવાસ્વરૂપ પાંચ પ્રકારને રસપરિણામ. (૮) સ્પર્શમાં પલટો થવા સ્વરૂપ આઠ પ્રકારને સ્પર્શ પરિણામ. (૯) ગુરૂત્ત્વ આદિ ઉપજવા સ્વરૂપ ચાર પ્રકારને અગુરુલઘુપરિણામ. (૧૦) ધ્વનિ પ્રગટ થવા. સ્વરૂપ બે પ્રકારને શબ્દપરિણામ.
આ દશ પ્રકારના પરિણામથી પુદ્ગલનાં અનેક રૂપાનર થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરમાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ પુગલના અન્ય રીતે થતાં રૂપાન્તરે કરતાં કર્મરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિએને આવરનાર તે કર્મ સ્વરૂપે જ વર્તતું પુગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ, સ્વાત્મા. સાથે સંબંધિત કર્મયુગલરૂપ આવરણને ક્ષયોપશમ પામવા. દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેને ઉપયોગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકૂળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલનો હિસ્સો. મુખ્યરૂપે છે.
જૈનદર્શન કહે છે કે પ્રાણુઓને વિવિધ પ્રકારે ભેગવવા પડતા કષ્ટોને મૂળ આધાર જીવ અને પુદ્ગલ તત્વને