________________
પ્રકરણ ૭ મુ સૃષ્ટિ સર્જન
આ દ્રશ્ય જગતનું અસ્તિત્વ કોઈ અમુક નિયત ટાઈમથી જ બની રહ્યું છે, એવું નથી. તે તેા સદાના માટે છે જ. અને સદાના માટે રહેશે જ. હા ! એટલું જરૂર કે એમાં પરિવત ન થતાં રહે છે અને થતાં રહેશે. તેમાં કેટલાંક પરિવર્તન તે જીવના પ્રયત્નની અપેક્ષાવાળાં છે. વળી એવાં પણ કેટલાંક પરિવર્તન હેાય છે કે જેમાં કોઈના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી જ નથી. તે જડતત્ત્વાના વિવિધ સયાગાથી, ઉષ્ણુતા-વેગ-ક્રિયા આદિ શક્તિઓથી બનતાં જ રહે છે. માટી-પથ્થર આદિ ચીજોના એકત્ર થવા રૂપ નાના-મોટા પહાડ અને છે. જુદી જુદી દિશાઓમાંથી આવી મળેલ પાણીના પ્રવાહમિલનથી નદી બને છે. ઘણી નદીએના પાણીસમૂહથી સમુદ્ર અને છે.
સૂક્ષ્મબુદ્ધિથી સમજનાર સમજી શકે છે કે–આ જગતના સ્થૂલ અને સૂક્ષ્મ પદાર્થો પરમાણુના ભિન્નભિન્ન પ્રકારના સચેાગેાથી રચાય છે. પૂરણ અને ગલન એ પુદ્ગલ-પરમાણુના સ્વભાવ હાવાથી પરમાણુયુક્ત પદાર્થોમાં અનેક પ્રકારનાં રૂપાન્તરો થવાની યાગ્યતા આપણે જોઈ એ છીએ. પૃથ્વી ઉપરનું દોષવાળું જળ, સૂર્યના કિરણાથી શાષાઈ