________________
પ્રકરણ ૬ ઠું કમતત્વના વિષયમાં જેનદર્શનની વિશેષતા * આઠ ગ્રહણગ્ય પુદ્ગલવર્ગણાના પુગલ–સ્કોનું ગ્રહણ–પરિણમન એ બધુંય જીવના અનભિસંધિજ વયવડે થતું હોવા છતાં, કર્મથી સંબંધિત બની રહેલ આત્માના જ પ્રયત્નવડે આ બધું થાય છે. એટલે આ બધું થવામાં કારણરૂપે તે જીવની સાથે સંબંધિત બની રહેલ કર્મઆણુએ જ છે. કર્મઆણુઓના સંબંધને લીધે જ જીવને વિવિધ. નાટક કરવાં પડ્યાં છે. પુદ્ગલ આણુ કરતાં પણ અનંતાનંત શક્તિધારક આત્માની શક્તિઓને આચ્છાદિત કરી રાખી આત્માને દુખપ્રાય દશામાં મૂકનાર તે કર્મઅણુઓ જ છે.
પદાર્થવિષય ગ્રાશક્તિ-બુદ્ધિ-સર્વિવેક-ક્ષમા-નમ્રતા -સરલતા–નિર્લોભતા–દાન–લાભ–ભેગ-ઉપભોગ અને વીર્ય (આત્મ તાકાત) ઈત્યાદિ આત્મિક ગુણેની અનુકૂળતા તથા પ્રતિકુળતામાં, વળી શરીર, શરીરનાં અવય, શરીરની આરેગ્યતા, શરીરની મજબૂતાઈ શરીરને આકાર, શરીરનાં રૂપ-રસ–ગંધ-સ્પર્શ, શરીરમાં આત્માની સ્થિરતા, સુસંસ્કાર પિષક કુળ ઈત્યાદિ બાહ્ય સંગેની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ આ જીવ ઉપર કર્મ રજકણનું જ અધિપત્ય વતે છે.