________________
૪૨
નિક સુખમાં જ ફસાઈ પડ્યા છે. આજે એવા સુખની પ્રાપ્તિના આવિષ્કારેની દરેક દેશમાં હોડ લાગી છે. પરંતુ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય; અને સૌને એમ થઈ જાય કે “મારે તે મારા આત્મામાં જ રહેલું સુખ પ્રગટ. કરવું છે તે જર જમીન અને જેરૂ આદિ માટે થતી કેટકેટલી તકરારેને અંત આવી જાય. એટલે શક્ય હોય તે દુન્યવી સુખના સાધનો ત્યાગ કરી આત્મિક સુખ પ્રાપ્તિના માટે સંયમ સ્વીકારે. જેનામાં એ શક્તિ ન હોય તેઓ બાહ્ય સુખના સાધનમાં રાગી બની ન જવાય એની કાળજી રાખે અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે. પરંતુ આત્મિક સુખથી અનભિજ્ઞ અને આધુનિક વિજ્ઞાનની વિવિધ સિદ્ધિઓમાં રાચતે આજને માનવી, તે પાર્થિવ દ્રષ્ટિએ અત્યંત સક્રિય રહેવા છતાં આંતરદ્રષ્ટિએ તદ્દન નિષ્ક્રિય હોવાથી તેના જીવનમાંથી સ્વસ્થતા અને સંતોષે વિદાયગીરી લીધી છે. સુખ અને શાંતિ તે તેના જીવનમાંથી કેટલાંય દૂરદૂર વસી રહ્યાં છે. કારણ કે આધુનિક વિજ્ઞાનિક સાધન-સગવડોને તેણે ગુલામ બનાવવાના બદલે પોતે જ એને ગુલામ બની રહ્યો છે. વિજ્ઞાનની મદદ વડે આકાશમાં ઉડી ચંદ્રકમાં પણ પહોંચી શકવાનું ગૌરવ અનુભવતા માણસ આંતરિક જીવનના ઘડતરની દ્રષ્ટિએ તે પીછેહઠને જ પામતો હેઈ અસ્વસ્થતા અને તૃષ્ણની ભડભડતી જવાલામાં બળી રહ્યો છે. શાંતિ અને સંતોષ પ્રાપ્તિ માટે ભારતના ત્યાગી સંતપુરૂષોને આશ્રય છેડી દઈ તે આધુનિક વિજ્ઞાનની જ વિચારધારાને આશ્રિત બન્યું છે. અને વિજ્ઞાને માન્ય દ્રષ્ટિ