________________
૪૦
અજાણ અને અશ્રદ્ધાળુ હવામાં તેઓની ભૌતિક દ્રષ્ટિ જ કારણ છે. આધ્યાત્મિક દ્રષ્ટિ ખુલે ત્યારે જ માનવ, આત્મિક સુખને સત્ય અને શાશ્વતરૂપે સમજી શકે છે.
તિદ્રષ્ટિ અને આધ્યાત્મિક દ્રષ્ટિ વચ્ચે તફાવત એ છે કે-ભૌતિકવાદિ તે ઈન્દ્રિય માટે સ્વતંત્રતા માગે છે, ત્યારે અધ્યાત્મવાદી ઈન્દ્રિયેના વિષયમાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકને પ્રયત્ન અને આકાંક્ષા તે સ્કૂલ અને ક્ષણિક માટે છે, જ્યારે બીજાને ઝૂકાવ તે સૂક્ષ્મ અને શાશ્વત માટે છે.
શરીર માટે આત્મા? કે આત્મા માટે શરીર? એની પસંદગીને સવાલ છે. પિતાનું મકાન રેતી પર બાંધવું છે કે પહાડની ટોચ પર બાંધવું છે? એના ઉપર જ અંતિમ વિજયને આધાર છે, ઈદ્રિયે માટે ખેંચાય છે તે ઇંદ્રિયે સાથે નાશ પામે છે. જે ઇંદ્રિયાધિન દશામાંથી મુક્ત બને છે, તે જ પાર્થિવ પાશમાંથી છૂટી અનંત જીવનને પ્રાપ્ત કરે છે.
વિશ્વના પ્રત્યેક પ્રાણીને આત્મા, સર્વ સુખસમૃદ્ધિ સામર્થ્ય અને જ્ઞાનને નિરંતર વહેતે નિર્મલ કરે છે. આ આત્મ પ્રયત્ન વડે જ પ્રવાહ સ્વરૂપે આ દ્રશ્ય વિશ્વની ઉત્પત્તિ થતી રહે છે. એ વડે જ અનેક પૌગલિક ચમત્કારે સ્કૂલ યા સૂરમરૂપે સર્જાય છે. આ આત્માને ગમે તે નામથી સંબંધે. તેને આત્મા કહે, સત્ય કહે કે ઈશ્વર કહે; પરંતુ તેના અનંતગતુક (અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંત ચારિત્ર