________________
ગિક અવસ્થાવંત વડે આકર્ષિત તે રજકણો રાળ વડે સંધાઈ એકાકાર થતા બે કાષ્ટની માફક” પૂર્વે આકર્ષિત રજકણુ સમૂહની સાથે બન્શન સ્વરૂપે બની રહી જીવના કામણ શરીર રૂપે ઓળખાય છે. આ કાર્મણ શરીર જ જીવના જન્મ-મરણ-સુખ-દુઃખ ઈત્યાદિ જીવની વિવિધ અવસ્થા સર્જક તત્વ છે. કાશ્મણ શરીરના કારણે જ જીવના અનાગ પ્રયત્નવડે થતું દ્રશ્ય સૃષ્ટિનું નિર્માણ છે. આ કાર્મણ શરીરના કારણે જ જીવની બાહ્ય અને આંતરિક અવસ્થામાં ભિન્નતા છે. તેના કારણે જ જીની દેવ-મનુષ્ય -તિર્યંચ અને નારકી સ્વરૂપ સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ એ જ જીવને સંસાર છે.
ભિન્ન ભિન્ન સમયે જીવવડે ગ્રહિત બની રહેલ કર્મરજકણના પિંડસ્વરૂપ કાર્મણ શરીરનું અસ્તિત્વ તે સંસારી અવસ્થાવંત જીવમાં સદાના માટે અનાદિકાળથી છે. પરંતુ તેનાં રજકણે સદાના માટે તેનાં તે જ નહિં હતાં પુરાણ રજકણેનું ગમન અને નવાં રજકણનું આગમન પ્રતિસમય થતું જ રહે છે. કારણ કે રજકણુનું આગમન પ્રવાહ સ્વરૂપે અનાદિ છે, પરંતુ વ્યક્તિ સ્વરૂપે અનાદિ નથી. આ આખુંય કાર્પણ શરીર પણ એટલું સૂક્ષ્મ છે કે તે ચર્મચક્ષુથી દેખી શકાય તેવું નથી.
કાર્મણવર્ગણુના આ રજકણ સમૂહના, આત્મા સાથે સંબંધિત બની રહી કર્મરૂપે પરિણત થવાના કાર્યને, જૈન પારિભાષિક ભાષામાં “બન્ધ” કહેવાય છે.