________________
આજના એટઓ અને હાઈડ્રોજન બેઓ જેવા તે નહિ, પરંતુ તેની માફક અગ્નિવર્ષા વડે વિનાશક શક્તિધારક પૈગલિક આવિષ્કારે ભૂતકાળમાં પણ ભારતવર્ષમાં હવાનું પ્રમાણ આજે પણ જૈનાગમમાં મળી આવે છે. પરંતુ આજના વિજ્ઞાનવાદ કરતાં તે સમયના વિજ્ઞાનવાદની મહત્તા એ હતી કે ઉપરોક્ત રીતના સંહારક આવિષ્કારિત પ્રયેગોને નિષ્ફળ કરનાર એવા સંરક્ષક આવિષ્કારે પણ તે સમયમાં વિદ્યમાન હતા. આ બન્ને પ્રકારના આવિષ્કારે તે અનુક્રમે તેજલેશ્યા અને શીતલેક્યા નામે ઓળખાતા હતા. તેજલેશ્યા વિનાશક હતી, જ્યારે શીતલેશ્યા સંરક્ષક હતી. એ બન્ને આવિષ્કારો પિદુગલિક હોવા છતાં તેની આવિષ્કારક પદ્ધતિ આજના જેવી ખર્ચાળ ન હતી. તેની પ્રક્રિયા એવી હતી કે આવિષ્કારક પિતે છ મહિના સુધી બને હાથ ઊંચા રાખી એક મુઠી અડદ અને ગલું ઉષ્ણપાણી છડૂના પારણે લેતે. અને એ રીતે પારણું કરી પુનઃ છઠું (બે ઉપવાસ) કરતા. એમ કરતે કરતે છ મહિને તે તેલેસ્થાની સિદ્ધિ પ્રાપ્ત કરતે. જેમ આજની આણુશક્તિની પ્રગટતામાં વૃદ્ધિ પામતા તાપકમની આવશ્યક્તા રહે છે, તેમ તે જેલેશ્યા પ્રગટ કરવામાં તેની તમામ કાર્ય વાહી, સાધકની શારીરિક ગરમીને જ પ્રદીપ્ત કરવાવાળી હતી. જ્યારે શીતલેશ્યાની કાર્યવાહી શીતલતા વહન કરવાવાળી હતી. તેજોલેસ્થા દ્વારા શરીરમાંથી ઉત્પન્ન કરાતી અગ્નિવર્ષા, મહાનમાં મહાન સેળ દેશને એક સાથે અલ્પ સમયમાં