________________
૩૦
હાલના વૈજ્ઞાનિક ક્ષેત્રની લેકોપયોગી પદ્ગલિક આવિકારેની હકિકતોએ કેટલાક મનુષ્યના દિલમાં એવી ભ્રમણા પિદા કરી છે કે હાલના વિજ્ઞાન જેટલી પદાર્થ આવિષ્કારક
શક્તિ ભૂતકાળમાં ક્યાંય હતી જ નહિ. પરંતુ આવા ભ્રમિત, - તથા ભારતવર્ષના પ્રતાપી પુરુષના ઈતિહાસથી તદ્દન અનભિન્ન મનુષ્ય, સદ્ગુરૂની નિશ્રાએ રહી જૈનદર્શન પ્રણિત તત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવૃત્ત બને તે તેમને સ્પષ્ટ સમજાશે કે આ ભારતવર્ષમાં આત્મશક્તિદ્વારા પુદ્ગલે ગ્રહણ કરી ' ઉપગી બનાવી શકવાના જ્ઞાન ઉપરાંત પણ શ્રુતજ્ઞાનના
અધ્યયન દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાનથી કેટલાક અવનવા દ્રવ્યના કમિશ્રણ દ્વારા પણ કાર્યો સિદ્ધ કરી શકવાની આવડત હતી.
- પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી - નાગાર્જુનના પ્રસંગે, મિશ્રિત દ્રવ્યના લેપને પગે પડી આકાશમાં પક્ષીની માફક ઉડી શકવાની આવડતનું જ્વલંત ઉદાહરણ છે.
એવી રીતે અમુક મિશ્રિત ઔષધિઓના લેપથી જળ ઉપર ચાલી શકવાના કલ્પસૂત્રમાં આવતાં ઉદાહરણમાં - બ્રહ્મદ્વિીપ તાપસની પણ હકીક્ત પ્રસિદ્ધ છે.
વળી અમુક વનસ્પતિ આદિ પદાર્થોના સંગથી લેઢા -અને ત્રાંબામાંથી સુવર્ણ બનાવી શકવાની અનેકવિધ રીતે - ભારતવર્ષમાં પ્રચલિત હતી.
વિવિધ મિશ્રિત ઔષધિ ચૂર્ણને પાણીમાં નાંખી મિસ્ય -તથા સિંહ-વાઘ વગેરે પ્રાણિઓ ઉત્પન્ન કરી શક્તા હતા.