________________ આટલા મહાન જૈનાચાર્ય અને સમ્રાટ અકબરના ગુરૂ માટે આશ્ચર્ય પમાડે એવી એક બીના એ છે કે અંત સમયે મૃત્યુ નજીક આવતા તેમણે કોઈપણ પ્રકારની દવા-ચિકિત્સા ન કરવાનો દઢ સંકલ્પ કર્યો હતો. - વિશ્વ પ્રત્યેની કોમળતા અને જાત પ્રત્યેની કઠોરતાનું આ સૂચક હતું. એક મહાન ગુરૂ અને આજ્ઞાંકિત શિષ્યના સમાગમે પંદરમી-સોળમી સદીના ઈતિહાસને જાજરમાન કરી દીધો. વિજય હીરસૂરિના ગુણો ગાવાની ક્ષમતા આપણી ક્યાંથી ? આ પ્રસંગે સમ્રાટ અકબર જેવા રાજા અને વિજય હીરસૂરિ જેવા ગુરૂ ભારતવર્ષની પ્રજાને મળતા રહે એવી ભાવપૂર્ણ અપેક્ષા-પ્રાર્થના. * * * * * ..31...