________________ લેવાની, ત્રણ દિવસ સુધી.” ભિખારી કહે - “તમે તો જાણો છો કે હું તો ભિખારી છું. દવાના પૈસા મારી પાસે ક્યાંથી ? આટલી દયા કરી છે તો હવે દૂધ પણ તમે જ આપી દોને. ડોક્ટર માટે આજે દયા કસોટી બની હતી. ડોક્ટરે દૂધ પણ તપેલી ભરીને આપ્યું. બસ, હવે કાંઈ ! ત્રણ ટાઈમ ગોળી દૂધ સાથે બરાબર લેજે. ભિખારી કહે, “તમે તો જાણો છો કે હું ભિખારી છું. ભિખારી કેમ છું ? કારણ કે આળસું છું. આળસુ ન હોત તો હું પણ તમારા જેવો ડોક્ટર હોત, એટલે ગોળી લેવાની મને ઘણી આળસ છે, આટલી મહેરબાની કરી છે, તો થોડી વધારે કરો, એમ કરજોને, કે ગોળી પણ તમે જ લઈ લેજોને. ડોક્ટર તો ડઘાઈ જ ગયા. આ સાંભળીને આભા જ થઈ ગયા. ભલાભાઈ, રોગ તને છે, સારૂં તારે થવું છે, અને દવા મારે ખાવાની ! તો તું સાજો કેવી રીતે થઈશ ? દવા લેવી જ ન હતી તો અહીં શા માટે આવ્યો ?' ભિખારી કહે - “ડોક્ટર ! તમે એટલું કહી દો કે “તું સાજો થઈ જા.” આટલું કહેવાથી જ હું સાજો થઈ જઈશ. ડોક્ટર કહે - “મુરખ ! હાલતી પકડ, કહેવા માત્રથી વગર દવાએ કોઈ કાળે કોઈ સાજા થાય જ નહીં.' સ્વાથ્ય જોઈતું હોય તો ડોક્ટર પાસે જવું જ પડે, રોગ કહેવા જ પડે, સુચના મુજબ દવા લેવી જ પડે, કડકપણે પરેજી પાળવી જ પડે. ભિખારી કહે - “આવી લાંબી પ્રોસીજરમાંથી પાસ થવાની આપણી તૈયારી નથી. ખોટો ટાઈમ બગાડ્યો.” દવા કરવી એના કરતાં દુઃખ સહન કરી લેવું લાખ દરજે સારું. ડોક્ટર તો ભિખારીને જોતો જ રહ્યો. આપણી હાલત ભિખારી જેવી જ છે. આયુષ્ય દીર્થ જોઈએ છે. ઐશ્વર્ય અપાર જોઈએ છે, આરોગ્ય મસ્ત જોઈએ છે. આ માટે જ કોક સંત મહંતના આશિષ જંખીએ છીએ. તેમની પાસે જઈ માંગણી મુકીએ છીએ. “મહેરબાની કરો, કૃપા કરો, દયા કરો, દીર્ધાયુ આપો. પરઐશ્વર્ય આપો. અક્ષયરોગ્ય આપો.” માંગણી સાંભળી સંત કહે છે, “પરમાત્મા ભક્તિ રોજ ભાવથી કરવાની, અભક્ષ્ય અનંતકાય છોડવાના, મનને બહેકાવનાર ટી.વી. કેબલોના ...148...