Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 159
________________ હોય છે, એક બાજુ સ્કૂલ અને બીજી બાજુ ચર્ચ, રમતા રમતા પણ છોકરાઓ ચર્ચમાં જતા રહે, મિત્ર વર્ગમાં પણ તેજ વાત હોય, ટીચરો પણ વચ્ચે વચ્ચે એવી જ વાતો છેડતા હોય, જેથી નાના બાળકના નિર્મળ મનમાં ચર્ચ અને ઈશુ-ચર્ચ અને ઈશુ સરળતાથી રમતા થઈ જાય, આ ફોરેન કન્ટ્રીનું એક કાવતરું જ છે. બધાને આ શિક્ષણનું સ્લો પોઈઝન આપી ક્રિશ્ચન બનાવો, શિક્ષણના બહાને ક્રિશ્ચનના સંસ્કરણનો ફેલાવો જ તેમનું લક્ષ્યબિંદુ છે આપણી ભોળી પ્રજા તેનો ભોગ બની રહી છે, ઘણા નાના મોટા છોકરાઓ ચર્ચમાં મજેથી જાય છે. ઈશુને જ સાચા ઈશ માની ક્રોસને નમે છે. અરે ! આપણા સાધુ ભગવંતના દર્શન થતાં પણ હાથ જોડવાને બદલે ક્રોસ કરે છે. માબાપે આપેલા ધાર્મિક શિક્ષણ પર પાણી ફરી વળે છે, અને નાનાપણથી જ આવા અંગ્રેજી વાતાવરણમાં થતા ઉછેરના કારણે બાળક જૈન ધર્મ અને તેના તત્વો તથા તેના આચાર વિચારોથી તદ્દન અજાણ હોય છે. * એક છોકરાને તેની મમ્મીએ કહ્યું - જા મહારાજને હોરવા બોલાવી લાવ. છોકરો આવીને કહે, Uncle, Come with me, મેં કહ્યું, why, છોકરો : My mother is calling you, હું ગભરાયો, પૂછ્યું તારી મમ્મીને મારું શું કામ ? શા માટે બોલાવે છે ? તો છોકરો કહે : for dinner પછી કંઈક શાંતિ થઈ, છોકરાઓની આ દશા જોઈ ખુબ દુઃખ થયું. | ‘વહોરવા પધારો જેવા મધુર શબ્દો બોલતા આવડતા નથી, અને ફટફટ અંગ્રેજી બોલવામાં જાતને હોંશિયાર માને છે, ‘ગાથા' એટલે શું કોઈ છોકરાને ખબર પડતી નથી, ગુજરાતી વાંચતા આવડતું ન હોઈ ગાથા કરવા બેસાડો તો ય ધબડકા ને ગોટાળા જ હોય, માંડ માંડ એક એક શબ્દ વાંચતો હોય તો ગોખવાની વાત જ ક્યાં ?, એક દાયકા પૂર્વે ગુજરાતી છોકરાઓ આઠ-નવ વર્ષની ઊંમરે અતિચાર કડકડાટ બોલી શકતા હતા, અને હજારોની સભાને સ્તબ્ધ કરી દેતા હતા. હવે તો છોકરો પંદર વર્ષનો થાય તોય નવકારના ઠેકાણા નથી હોતા ? નવકારમાં પંદર ભૂલો નીકળશે. માટેજ તમારા છોકરાને તમારો રાખવો હોય, તેને ક્રિશ્ચન બનાવવો ન હોય, તેનામાં ધાર્મિક સંસ્કારોનું વાવેતર કરવું હોય તો ખાસ ભલામણ છે કે આ ભ્રામક ...૧૫ર...

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186