Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 172
________________ આપણા મિત્રો અને આપણા વિચારો આપણા જીવનના ઘડવૈયા છે. વિચારની ક્વોલીટી પણ આસપાસના વાતાવરણને આભારી છે એટલે જ પોતાનાથી ડાઉન હોય તેની સોબત વિકાસકાર્યમાં પરોક્ષપણે પણ બાધક બનતી હોય છે. મુર્ખ અને સમજદારની વ્યાખ્યા પણ સમજી લેવાની હોય છે. | મુખે એટલે આપણી હા જી હા કરે, દેખતા દોષ બતાડે નહીં, મરતા હોઈએ તોય બચાવે નહીં. મુર્ખ એટલે જેને આપણી સાથે નહીં આપણી પાસે જે છે તેની સાથે નિસ્બત છે. આવા જીહજુરીયા જ આપણા મોટા દુશ્મન છે, તેમનાથી ચેતતા રહેવાનું છે. સમજદાર એટલે સાચા અર્થમાં આપણા હિતેચ્છુ. જે આપણા આત્માના કલ્યાણને ઝંખે છે, કડવું પણ સત્ય કહેતા સંકોચ રાખતા નથી. તેમને અળખામણા થવાનો ભય નથી, એકાતે હિતકાંક્ષી છે. તપાસી લેવાની જરૂર છે કે આપણી આસપાસ કેવું વર્તુળ સર્જાય છે. નિર્દોષ દેવ અને નિઃસ્વાર્થ ગુરુ જ આપણા સાચા હિતેચ્છુ છે. બાકી બધા સ્વાર્થપ્રેમી જાણવા. અંતે- Don't be afraid of your enemy who attacks you. But be afraid of your fow who flatter you. * * * * * ...165...

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186