Book Title: Anandnu Upvan
Author(s): Vijaykalyanbodhisuri
Publisher: Akshay Shah Jaimin Jain

View full book text
Previous | Next

Page 185
________________ જોઈ ત્રાસી ગયા. આપણને કહ્યું, ભલા ! અનંત કાળ આવી કાળી મજૂરી કરી ? આવા જુલ્મો વેક્યા ? મારી પાસે કેમ ના આવ્યો ? કંઈ નહી, જાગ્યા ત્યારથી સવાર, ચાલ, તને રત્નોની ખાણ બતાલ, લુંટાય એટલુ લુંટી લેજે, તારો અનંત ભવિષ્યકાળ લીલોછમ થઈ જશે. જિનશાસન રુપી રાજમહેલ છે. જેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનાં અમૂલ્ય રત્નો ભરેલા છે. * સાધનાનું સંગીત * તપ ત્યાગને વૈરાગ્ય ભાવની મીજબાની * આત્માનુભવની દિવ્ય સુવાસ * સિદ્ધિવધૂની આગતા-સ્વાગતા >> પરમાત્મા ભક્તિના ગુંજનો, લુંટાય એટલું લુંટવાનું છે. શરત છે, એકવાર જ Entry મળે છે. સૂર્યાસ્ત બાદ સટર Close થઈ જાય છે. એટલે, અનંતકાળે એકાદવાર જ જિનશાસનનો અધ્યાત્મિક દિવ્ય મહેલ મળે છે. આયુષ્ય પૂર્ણ થઈ ગયુ પછી ખેલ ખલાસ, અનંતકાળ અંધકારમાં વિતાવવાનો. આયુષ્યપૂર્ણતાનો સૂર્યાસ્ત થયો નથી ત્યાં સુધી ચાન્સ છે. જિનશાસનના મહેલમાં આવ્યા. જ્ઞાન દર્શન-ચારિત્રના રત્નો જોયા. આનંદ પણ થયો પણ ભુલાએલ લાકડી જેવા પાંચ ઇંદ્રિયના વિષયો ફરી યાદ આવ્યા. રત્નો મુકી લાકડી લેવા ગયા. અધ્યાત્મિક આનંદ છોડી ભોગ ન મળી, અને જાન ગયો તે નફામાં. આધ્યાત્મિક આનંદ ગયો. ભોગવિલાસના કુકા પણ ના મળ્યા, અને આયુષ્ય પૂર્ણ થઈ ગયુ, હવે અનંતકાળ અજ્ઞાનના અંધકારમાં જ વિતાવવાનો. દુઃખ ત્રાસ યાતનાઓ જ ભોગવવાના. લાકડી ખાતર રત્નો ગુમાવનાર મજુર જો મુર્ખ છે તો ક્ષણિક ભોગાનંદ ખાતર દિવ્ય આધ્યાત્મિક આનંદ ગુમાવનાર આપણે કેવા ? અંતે - जींदगी चार दिन की चांदनी ये सभी कहते है इस बातका सार हम ही कहा समझते है, दिनरात भौतिक सुखो मे बस हम भटकते है प्रभुके भक्त होकर भी दुःखकी चिता पर जलते है।

Loading...

Page Navigation
1 ... 183 184 185 186